SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ - - પુદગલ ગ્રહણ અને પરિણમન ૧૪૩૧ રહેલ પુગલઅવસ્થાને આત્માની સાથે સંબંધ થવા ટાઈમે તે અવસ્થા પટ પામી કર્મસ્વરૂપની અવસ્થાને પ્રાપ્ત થાય છે. વસ્તુની અવસ્થામાં પલ્ટો થવે તે તેનું પરિણમન કહેવાય છે. પરિણમન થવામાં કઈ કઈ મૌલિક તત્વની નવી ઉત્પત્તિ નથી. મૌલિક વસ્તુ તે તેમાં કાયમી , છે, પરંતુ પરિણમન યા અવસ્થાને તેમાં પલ્ટો છે. જેમ પ્રાણિઓના શરીરમાં રહેલી સાત ધાતુઓ (રસ-રૂધિરમાંસ–મેદ–અસ્થિ–મજજા અને વીય) તે પ્રાણિએ ગ્રહણ કરેલ ખોરાકનું પરિણમન છે, તેમ કર્મ એ યુગલનું એક પરિણમન છે. પરિણમન પામેલ ભુગલના વર્ણ–ગંધ-રસ અને સ્પર્શમાં પલટો થઈ જવાથી તેના સ્વભાવમાં પણ પટે થાય છે. પુદગલ પરિણમન સદાના માટે એક સરખું ટકી રહેતું નથી. અમુક ટાઈમ સુધી અમુક પરિણમનરૂપે રહી ત્યારબાદ અન્ય પરિણમનરૂપે પરિણમે છે. અનાજમાંથી પરિણમેલ સપ્તધાતુમાં જે સ્વભાવ પ્રગટ થાય છે તે સ્વભાવનું પ્રાગટય અનાજમાં હોતું નથી. તેવી રીતે કામણવર્ગણાના પગલોમાંથી પરિણમેલ કર્મમાં જે સ્વભાવ પ્રગટ થાય છે તે સ્વભાવનું પ્રાગટ્ય કામણવર્ગણાના પુદ્ગલોમાં કર્મરૂપે પરિણમેલ અવસ્થા પહેલાં હેતું નથી. ખેરાકનું સપ્તધાતુરૂપે થતું પરિણમન પ્રાણિયાના શરીરમાં જ થાય છે. પ્રાણિયેના ઉદરમાં પ્રવેશ્યા સિવાય સૃષ્ટિમાં ઢગલા બંધ પડેલા અનાજનું જેમ સપ્તધાતુરૂપે પરિણમન થતું નથી, તેમ પુદ્ગલોમાં અનેકરૂપે પરિણમન
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy