SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્ત્વની સમજ ૧૧૩ . આ રીતે આશ્ચર્ય, જિજ્ઞાસા અને સંશયાદિના કારશાથી ઉત્પન્ન થયેલાં દર્શનો તે સુખ્યરૂપે તે પાશ્ચાત્ય પરંપરાનું જ પ્રતિનિધિત્વ કરે છે. ભારતીય પરંપરામાં તે દર્શનશાસ્ત્રનું મુખ્ય પ્રજન દુઃખથી મુક્ત થવાનું છે. ભારતીય દર્શનમાં પ્રાયઃ આધ્યાત્મિક જ પ્રેરણું છે. અહીં સમજવું જરૂરી છે કે માનવજીવનની સાર્થકતા યા મહત્તા કેવળ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રાજ્યનીતિશાસ્ત્ર ઈત્યાદિ જીવન વ્યવહાર પૂરતી જ નથી. પરંતુ જેનું મૂલ્યાંકન કરવાનું સામાન્ય માનવીની શક્તિથી બહાર છે, વળી જેનું મૂલ્ય વ્યવહારિક અંશથી પણ કેઈગણું અધિક છે, જે વ્યવહારિક અંશને પણ ક્યારેક ક્યારેક માર્ગદર્શન કરનારું છે, એવા આધ્યાત્મિક યા આન્તરિક જીવનથી જ મનુષ્યની મહત્તા છે. ભવિષ્યકાલીન ઉજજવલતાનું દર્શન તે આધ્યાત્મિક દષ્ટિ છે. ભારતીયદર્શનનું નિર્માણ આવા પ્રકારની છેરણાથી જ થયેલું હોય છે. શાશ્વત શાંતિને પ્રાપ્ત કરવાની પ્રેરણા કરતું દર્શન તેજ આધ્યાત્મિક દર્શન છે. જેને સામાન્ય ચક્ષુ દેખી ન શકે તેને આધ્યાત્મિક દર્શન જેવા ઈચ્છે છે. જેને સાધારણે ઇન્દ્રિય પામી ન શકે એવી વસ્તુને તે અનુભવ કરવા ચાહે છે. ભૌતિક વિચારધારાવાળી વ્યક્તિ, આવી આધ્યાત્મિકતાથી બહુ જ દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે તે પણ આધ્યાત્મિક દર્શનનું સ્તર બહુ જ ઉંચું છે.
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy