SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પદાર્થ વિજ્ઞાનના અસાધારણ ચમત્કારિક સામર્થ્ય વિદ્યાને પ્રાપ્ત કરવાની યોગ્યતાવાળે ગણતે. પરંતુ જે મનોભૂમિકા પ્રાપ્ત કરવી જોઈએ, જે પ્રાણીમાત્ર પ્રતિ આત્મભાવ જાગૃત કરવો જોઈએ, પરહિત એ જ સાચું સ્વહિત છે, એવી દ્રઢ પ્રતીતિ હેવી જોઈએ, આ બધી ચેગ્યતાવાળું માનસ જેઓનું ન હતું, તેવાઓ તે ઉપરોક્ત વિદ્યાપ્રાપ્તિમાં અગ્ય જ ગણાતા. સમય પલટો થતાં માનવીઓમાં સ્વાર્થવૃત્તિ અને વિષય લાલસાઓની સામ્રાજ્યવૃદ્ધિએ તે વસ્તુઓના સદ્વ્યયને બદલે દુર્વ્યય થવાના પરિણામે, તે શક્તિઓની પ્રયોગવિદ્યા અન્યને શીખવવાનું કે બતાવવાનું તે વિદ્યાઓના જાણકારે બંધ કર્યું. એટલે ધીમે ધીમે તેને પ્રચાર બંધ થયો. બાકી સામાન્ય. વ્યવહારોપયોગી કળાઓ ચાલુ રહી, અને દિનપ્રતિદિન. પિોતપોતાની બુદ્ધિના ક્ષપશમ પ્રમાણે એવી વ્યવહારોપયોગી કળાઓના આવિષ્કારે જુદા જુદા સમયે જુદા જુદા માણસે જુદી જુદી રીતે કરતા આવ્યા છે, અને કરશે. ભારત ઉપર અવારનવાર વિદેશી સત્તાઓના જોરે ભારતની કળા-કૌશલ્યતા– હુન્નર, અને તેને લગતું સાહિત્ય, એ સર્વ હકીકતને લગતે. ઈતિહાસ નષ્ટ થયો. તેમાં ય છેલ્લી બ્રિટિશ સામ્રાજ્યની સત્તાએ. પશ્ચિમની જ સંસ્કૃતિને ઇતિહાસ, તથા પશ્ચિમની કળાકુશળતા અને પશ્ચિમની સંસ્કૃતિને જોરશોરથી પ્રચાર કર્યો. હિંદુસ્તાનની પ્રજામાં ભારતીય સંસ્કૃતિ ભુંસાવા લાગી. અને ભારતીય યુવાને શિક્ષણના બહાને વિદેશી સંસ્કૃતિથી જે. ૩.
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy