SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ હાલના વૈજ્ઞાનિક ક્ષેત્રની કેપગી પૌગલિક આવિકારોની હકીકતોએ કેટલાક મનુષ્યના દિલમાં એવી ભ્રમણા પેદા કરી છે કે હાલના વિજ્ઞાન જેટલી પદાર્થ આવિષ્કારક -શક્તિ ભૂતકાળમાં કયાંય હતી જ નહિ. પરંતુ આવા ભ્રમિત તથા ભારતવર્ષના પ્રતાપી પુરૂષોના ઇતિહાસથી તદ્દન અનભિજ્ઞ મનુષ્ય, સદગુરૂની નિશ્રાએ રહી જૈનદર્શન પ્રણિત તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં પ્રવૃત્ત બને તે તેમને સ્પષ્ટ સમજાશે કે આ ભારતવર્ષમાં આત્મશકિતદ્વારા પુદગલે ગ્રહણ કરી, ઉપગી બનાવી શકવાના જ્ઞાન ઉપરાંત પણ, શ્રુતજ્ઞાનના અધ્યયન દ્વારા પ્રાપ્ત વિશિષ્ટ જ્ઞાનથી કેટલાક અવનવા દ્રવ્યોના મિશ્રણ દ્વારા પણ, કાર્યો સિદ્ધ કરી શકવાની આવડત હતી. ૫૦ આ૦ શ્રી પાદલિપ્તસૂરીશ્વરજી મહારાજ તથા શ્રી -નાગાર્જુનના પ્રસંગો, મિશ્રિત દ્રવ્યોના લેપને પગે પડી આકાશમાં પક્ષીની માફક ઉડી શકવાની આવડતનું જલ ત ઉદાહરણ છે. એવી રીતે અમુક મિશ્રિત ઔષધિઓના લેપથી જળ ઉપર ચાલી શકવાનાં કપસૂત્રમાં આવતાં ઉદાહરણમાં બ્રહ્મદીપ તાપસની પણ હકીક્ત પ્રસિદ્ધ છે. વળી અમુક વનસ્પતિ આદિપદાર્થોના સગથી લેઢા અને ત્રાંબામાંથી સુવર્ણ બનાવી શકવાની અનેકવિધ રીતો ભારતવર્ષમાં પ્રચલિત હતી. વિવિધ મિશ્રિત ઔષધિ ચૂર્ણને પાણીમાં નાંખી મસ્ય -- ' તથા સિંહ-વાઘ વગેરે પ્રાણિઓ ઉત્પન્ન કરી શકતા હતા.
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy