SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ અને પાણી આ ચાર પદાર્થોને જ મૌલિક તત્વની સંજ્ઞા અપાઈ હતી. પરંતુ ત્યારબાદ તે સમજમાં એ આવ્યું કે પ્રત્યેક રાસાયણિક પદાર્થના મૂલભૂત અણુ જ પરમાણુ છે. ત્યારબાદ ટ્રેન, ન્યુટેન અને એલેકટ્ટાન એ ત્રણ મૂલભૂત અણુ મનાયાં હાલમાં તે મૂલભૂત આણુઓની સંખ્યા વધી ગઈ છે, અને ફરીને પણ વધી શકે તેમ છે. મૂળભૂત અણુઓની એ, વૃદ્ધિ, પદાર્થ મૂલ સંબંધી અમારા અજ્ઞાનની જ સૂચક છે. સાચી વાત તો એ છે કે મૌલિક અણુ શું છે ? એ હજુ સુધી સમજવામાં આવી શકયું નથી.” આ ઉપરથી સાબિત થાય છે કે બ્રહ્માંડના સૂફમતમ ઊપાદાનની સમજ પ્રાપ્ત કરવી એ વર્તમાન વૈજ્ઞાનિક શક્તિથી અસંભવીત છે. કારણ કે આ વિજ્ઞાન તે દયજગત સુધી જ સીમિત છે. જ્યારે જૈનદર્શનના તત્વજ્ઞાન વિષય તે ઈદ્રિય પ્રત્યક્ષ પૂરને જ સીમિત નહિં રહેતાં ઈદ્રિયાતીત વિષયને પણ અવલોકીને અતિમ તત્ત્વને આધારપર જ જ્ઞાનધારાને સ્પષ્ટ કરે છે. આ જ્ઞાનધારાને સમજવા માટે એકલી તર્ક બુદ્ધિ જ કામ લાગતી નથી. એના માટે તો આંતર દષ્ટિ મેળવવી જોઈએ. એ આંતરદૃષ્ટિ તો આંતરદૃષ્ટિને પ્રાપ્ત તત્વજ્ઞાનીઓએ પ્રરૂપેલ તત્વજ્ઞાન દ્વારા જ મેળવી શકાય છે. ભિન્ન ભિન્ન સ્વરૂપે થતું પુદ્ગલ પરિણમન યા પૌગલિક આવિષ્કાર થવામાં પરમાણુની વૃદ્ધિ અને ન્યૂન થવાની રીત, પુદ્ગલની અનંતશક્તિઓનું વર્ણન, પુદ્ગલની ૨૬ સૂકમ મહાવર્ગણાઓ, ગ્રાહ્ય અને અગ્રાહ્ય વર્ગણાઓ.
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy