SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પષ્ટ વર્ણન છે. દેશમાં ધુ લિસિકાળ પહેલાનું ચાલ્યું આવે છે. જૈનદર્શનકોએ લેકમાં રહેલાં મૂળદ્રવ્યોને. જુદાં જુદાં ઓળખાવી “દ્રવ્યાનુયોગ” વિજ્ઞાન રજુ કર્યું છે. એ દ્રવ્યાનુગના સિદ્ધાન્તમાં દ્રવ્ય–ગુણ અને પર્યાય બતાવી જગતના વિવિધ સ્વરૂપી પદાર્થોને સમજવામાં અતિ સુલભતા કરી આપી છે. વિક્રમની ઓગણીસમી શતાબ્દી સુધી તે એ દ્રવ્યાનુગ માત્ર શ્રદ્ધાનો વિષય હતો, અને તર્કણાની ઢાલ હતી. પરંતુ આજે તો એ સિદ્ધાન્ત જગતની સામે વિજ્ઞાનરૂપે પ્રત્યક્ષ આવીને ઉભે રહ્યો છે. આજના વિજ્ઞાને એવા એવા આવિષ્કાર કર્યા છે કે જે સાધારણ જનતાને તે ચમત્કાર કે જાદુ જ લાગે. પરંતુ એનું બારીકાઈથી અધ્યયન કરીએ તે આપણને એના મૂળમાં પરમાણુપર્યાય અને ગુણપર્યાયના પલટાઓ બરાબર મળી આવે છે. ઇતિહાસથી અનભિન્ન લેકે કદાચ એમ માની બેસે કે અણુ-પરમાણુવાદનો પ્રથમ આવિષ્કારક ડેમોક્રેટસ” છે. પર તુ એવાઓને ખબર નથી હોતી કે ડેમેકેટસની પહેલાં. પણ જૈનદર્શનમાં આણુવાદનું યથાર્થ પદાર્થવિજ્ઞાન હતું. કારણ કે જેનદર્શનમાં અણુવાદને સૂક્ષ્માતિસૂમ ખ્યાલ આપનાર પ્રભુ મહાવીરદેવ (આ અવસર્પિણીમાં થયેલ ચોવીશ તીર્થકર પિકી ચરમ તીર્થ કર ) તે ડેમેક્રેટસ પહેલાં થઈ ગયા છે. તે વર્તમાન ઈતિહાસના પુરાવાથી સિદ્ધ છે. જૈનદર્શનના પ્રરૂપકે. શ્રી તીર્થકર દેવે જ હોય છે. પ્રભુ શ્રી મહાવીરદેવ પહેલાં
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy