SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ • ૧૩૩ અને સંક્રાન્ત અવગાહના અંગે એક દીપકના તેજમાં બીજા દીપકનું તેજ પ્રવેશત આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. પગલેમાં પગલે પરસ્પર સર્વાશે પ્રવેશ કરીને રહી શકે છે, એ વસ્તુ અતિ સ્પષ્ટપણે સમજાવતાં શાસ્ત્રકારો કહે છે કે-એક પરમાણુમાં બીજે પરમાણુ, તેમાં ત્રીજા પરમાણું, તેમાં જચે, પાંચમે, સંખ્યાત, યાવત્ અનન્ત પરમાશુઓ, તે એક વિવક્ષિત પરમાણમાં પ્રવેશ કરી શકે છે. અને તેથી જ અના પ્રદેશી ધેની પણ એક આકાશ પ્રદેશ જેટલી અવગાહના સિદ્ધ થઈ શકે છે. શ્રી લોકપ્રકાશ તથા શ્રી ભગવતી સૂત્રના ૧૩મા શતકના ચોથા ઉદ્દેશાની વૃત્તિમાં સ્પષ્ટ જણાવે છે કે ઔષધિના સામર્થ્યથી એક કર્ષ (તેલા) પારામાં ૧૦૦ કર્ણ (તાલા) સોનું પ્રવેશ કરે છે, છતાં તે એક કષ પારે વજનમાં વધતો નથી. વળી ઔષધિના સામર્થ્યથી ૧૦૦ કર્થ સેતું અને એક કર્ષ પારે બન્ને જુદાં પણ પાડી શકાય છે. આ પ્રમાણે રૂપી પદાર્થો પણ એક બીજામાં પ્રવેશ કરીને રહી શકે છે, તે નિગદ અથવા બટાટા વિગેરે કંદમૂળમાં અરૂપી એવા અનંતા જી પિતપતાની જુદી અવગાહના નહિ રેતાં, એક જ અવગાહનામાં સર્વે પરસ્પર એકબીજામાં સંક્રમીને (પ્રવેશ કરીને) રડી શકે તેમાં કંઈ આશ્ચર્ય નથી. કારણ કે દ્રના પરિણામસ્વભાવ વિચિત્ર હોય છે. હવે પુદ્ગલમાં પગલને અવગાહ તે સંક્રાંત અને અસંકાંત એમ બન્ને પ્રકાર હોય છે. પરંતુ પુદ્ગલમાં
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy