SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ -માત્રની શરીરની આકૃતિઓ તપાસીએ તે અસંખ્ય પ્રકરની -આકૃતિઓ દૃષ્ટિગોચર થાય છે. પરંતુ અમુક મુખ્ય પ્રકારમાં અન્ય પેટભેદને સમાવેશ થઈ જાય, એ રીતે જેનશામાં તે તમામ આકૃતિઓનું છ પ્રકારે વર્ગીકરણ કરી સંસ્થાન નામકર્મનું વિવેચન કરવામાં આવ્યું છે. આકૃતિરૂપે પરિણમન પણ જીવને શરીર એગ્ય પુગલ ગ્રહણના પ્રથમ સમયથી જ થવા માંડે છે. અને અર્વય તથા તેની મજબૂતી તૈયાર થતાંની સાથે જ સ્પષ્ટ આકૃતિરૂપે તૈયાર થઈ જાય છે. સંસ્થાન નામકર્મ જ સંસ્થાન (શરીરને આકાર) પેદા કરે છે. છ પ્રકારના સંસ્થાનમાં સર્વથી ઉત્તમ સંસ્થાન કેવું હોય? અને સર્વથી હલકામાં હલકું કેવું હોય ? તે બતાવીને તેની વચ્ચેના બીજા જાણવા જેવા ઉપયોગી ભેદો બતાવ્યા છે. આ ઉપરથી સમજી શકાય છે કે–શરીરની રચનાને અનુસરી ગેઠવાયેલા અને પરસ્પર સંબંધ ધરાવતા ઔદારિકાદિ પુદ્ગલેમાં સંસ્થાન–આકાર વિશેષને સંસ્થાન નામે નામકર્મ ઉત્પન કરે છે. એટલે કે શરીરમાં અમુક અમુક જાતને આકાર થવામાં “સંસ્થાન નામ કમ” કારણ છે. ઉપર મુજબ તૈયાર થતા શરીરમાં શરીરની રચનાના પ્રથમ ક્ષણથી પિતાના કર્મ પ્રમાણે રંગ, સ્વાદ, સ્પર્શ અને ગંધ વગેરેને પણ પરિણામ થવા માંડે છે. સંસારી જીવેનું શરીર પુદ્ગલ પરમાણુઓની વર્ગણાઓનું બને છે, એ તે સહેજે સમજી શકાય તેવી હકીક્ત છે. પુદ્ગલ વર્ગશુના બનેલા શરીરમાં અમુક રંગ, સ્વાદ-સ્પર્શ અને ગંધ
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy