SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્ર, પદ્ય ૩૧ની કથા સિંહપુર નગર ધનધાન્યથી સમૃદ્ધ હતું. તેમાં ગેપાળ નામનો એક ક્ષત્રિય વસતે હતો. તે સ્વભાવે ઘણા સરલ હતું અને નિધનાવથાને લીધે લેકેની ગાયે ચરાવીને પિતાનું ગુજરાન ચલાવતા હતા. એક વખત તે ગામમાં પધારેલા જૈન મુનિનાં દર્શન કરવા ગયે. ત્યારે જૈન મુનિએ તેને “ધર્મલાભ” કહ્યો. ગોપાળે પિતાની ભદ્રિક પ્રકૃતિથી પૂછ્યું કે “મહારાજ ! ધર્મલાભ એટલે શું ? તમે બધા ભકતોને આ શબ્દ કેમ સંભળા છે ?” ત્યારે જૈન મુનિએ કહ્યું: “હે ભદ્ર! મનુષ્યને ધર્મને લાભ થાય તે તે પોતાનું જીવન સર્વ રીતે સુખી બનાવી શકે, તેથી અમે લોકેને ધર્મલાભ થાઓ.” એ આશીર્વાદ આપીએ છીએ.” ગોપાળે કહ્યું : “તે ઘણુ સારુ. પરંતુ હું ધર્મ વિષે કંઈ જાણ નથી, માટે કૃપા કરીને મને તેનું સ્વરૂપ સમજાવો. એટલે મુનિએ તેને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું, તેમાં દઢ શ્રદ્ધા રાખવાનું કહ્યુ, પચપરમેષ્ઠી મંત્ર આપી તેનો રોજ જાપ કરવાનું જણાવ્યું. અને તેનો નિત્યપાઠ કરવાનો નિયમ આપે. ગોપાળ તે પ્રમાણે તેનો નિયમિત પાઠ કરવા લાગ્યા. હવે એક દિવસ રાત્રિએ તેને સ્વપ્ન આવ્યું. તેમાં તેને ત્રણ છત્ર આદિ પ્રાતિહાર્યોથી સહિત શ્રી ત્રાષભદેવ ભગવાનનાં દર્શન થયાં. આથી તેને ઘણો જ આનંદ થયો. તેણે પિતાની જાતને ધન્ય માની. સવારે તે ગાયે ચરાવવા ગયો, ત્યાં વરસાદથી ધોવાઈ ગયેલી જમીનની અંદર શ્રી કષભદેવ ભગવાનનું બિબ જોયું, એટલે
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy