SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં દેવતત્વ કે ઈશ્વરતત્વ અગ્રસ્થાને મૂકાયેલું છે, ત્યાર પછીનું સ્થાન ગુરુને અપાયેલું છે અને એ બંનેમાં પૂર્ણ શ્રદ્ધાન્વિત થઈને ધર્માચરણ કરવાનું છે, એમ છેવટને સંક્ત છે. અહીં એટલું સ્પષ્ટ કરી દઈએ કે આ જગતમાં ઈશ્વર નામની કઈ મહાન વ્યક્તિ કે શક્તિ છે અને તે આ જગતનું સર્જન, પાલન તથા સંહાર કરે છે, એ વાદમાં જૈન ધર્મને શ્રદ્ધા નથી, કારણ કે આ જગત અનાદિ-અનંત છે અને તે પિતાના નિયમ મુજબ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. આમ છતાં ઘડીભર માની લઈએ કે ઈશ્વરે આ જગતનું સર્જન કર્યું છે, તે તેણે એ સર્જન કયારે કર્યું? શા માટે કર્યું? શેના વડે કર્યું? વગેરે પ્રશ્નો ખડા થાય છે અને તેને સમાધાનકારક ઉત્તર સાંપડી શકતું નથી. જે એમ કહેવામાં આવે કે ઈશ્વરે અમુક સમય પહેલાં આ જગતનું સર્જન કર્યું, તે તેની પૂર્વે કેમ ન કર્યું ? એ પ્રશ્ન પણ ઉત્તર માગે છે અને એ પરંપરા એટલી લંબાય છે કે છેવટે અનાદિને જ આશ્રય લે પડે. તે જ રીતે ઈશ્વર આ જગતનું પાલન કે સંચાલન કરતે હોય તે પણ અનેકવિધ પ્રશ્ન ઉઠે છે. ઈશ્વર એકને સુખી અને બીજાને દુઃખી શા માટે કરે છે? એકને રૂપાળો અને બીજાને કદરૂપે કેમ બનાવે છે? એકને યશ અને લાભ તથા બીજાને અપયશ અને નુકશાન શા માટે આપે છે? અહીં એમ કહેવામાં આવે કે ઈશ્વર સહુને તેમનાં કર્મ અનુસાર બદલે આપે
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy