SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ આવતત્વ તેની સલામતી જળવાય છે અને વાડ ન કરીએ તે ગમે. તે ઠેર-ઢાંખર અંદર આવીને તેને ચરી જાય છે. આ જ રીતે વ્રત એ આત્મરક્ષણની વાડ છે. તે કર્મરૂપી ઢેરેને અંદર આવતાં અટકાવે છે, પરંતુ એ પ્રકારની વાડ ન હોય તે કર્મરૂપી ઢેર ગમે ત્યારે અંદર ઘુસી જાય છે અને આત્માની લીલુડી ગુણવાટિકાનું નિકંદન કાઢી નાખે છે. અવતમાં પણ પ્રશસ્ત અને અપ્રશસ્તની વિચારણને સ્થાન છે. દાખલા તરીકે એક મનુષ્ય શાસનદ્રોહી, સંઘને સતાવનાર તથા ધર્મને ધ્વંસ કરનારે હય, તે તેને દંડ આપવા માટે કેટલીક હિંસાને આશ્રય લે પડે છે, પણ ત્યાં ભાવના પ્રશસ્ત હોવાથી શુભાશ્રવ થાય છે. જ્યારે સ્વાસ્થિિનમિત્તે અન્ય જીવેની હિંસા કરવામાં આવે, ત્યાં અપ્રશસ્ત ભાવ છે, તેથી તે અશુભાસવને જન્મ આપે છે. બીજા અવતેમાં પણ યથાયોગ્ય આ પ્રમાણે વિચારવું. યેગને કારણે કર્મનું જે આગમન થાય, તેને યેગાશ્રવ કહે છે. જીવ અસંખ્ય પ્રદેશવાળે છે, આ વસ્તુ પૂર્વે જીવતત્વના વર્ણન પ્રસંગે કહેવામાં આવી છે. આ પ્રદેશેમાંથી મધ્યના આઠ પ્રદેશે કે જેને “ચક કહેવામાં આવે છે, તે સિવાયના બધા પ્રદેશમાં એક પ્રકારનું પરિસ્પંદન (Vibration) થાય છે. અને તે પરિસ્પંદનના કારણે જ કાર્મણ વર્ગણુઓને સમૂહ જીવ તરફ આકર્ષાઈ તેની સાથે સમ્બદ્ધ થાય છે. આત્મપ્રદેશોનું આ પરિસ્પંદન ત્યારે જ બંધ થાય છે કે જ્યારે આત્મા ચૌદમા ગુણસ્થાનકે
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy