SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ કણસતા. થ58 લોકમબારમા તિથિ વિના , યંતપણની તુલનામાં આ સ્થિતિ નિશંક ચઢિયાતી છે, તેથી તેની ગણના પુણ્યપ્રકૃતિમાં કરેલી છે. ત્રસદશકમાં ઉલ્લેખ પ્રત્યેકનામકર્મને કરેલો છે. આ કર્મના ઉદયથી જીવને પૃથફ શરીર પ્રાપ્ત થાય છે, એટલે કે પિતાનું સ્વતંત્ર શરીર પ્રાપ્ત થાય છે. અનંત જીવોનું એક સાધારણ શરીર હોવું તેના કરતાંઆ સ્થિતિમાં વધારે સુખ રહેલું છે, તેથી તેની ગણના પુણ્યપ્રકૃતિમાં કરેલી છે. - ત્રશદશકમાં પાંચમો ઉલ્લેખ સ્થિરનામકર્મને કરેલ છે. આ કર્મના ઉદયથી શરીરના હાડ વગેરેમાં સ્થિરતા એટલે દૃઢતા પ્રાપ્ત થાય છે અને તેથી જીવનનિર્વાહમાં ઘણું સુગમતા રહે છે. આ કારણે તેની ગણના પણ પુણ્યપ્રકૃતિમાં જ કરેલી છે. ત્રશદશકમાં છ ઉલેખ શુભનામકર્મને કલે છે. આ કર્મના ઉદયથી નાભિ ઉપરને ભાગ પ્રશસ્ત હોય છે, એટલે કે તેના સ્પર્શથી બીજાને આનંદ ઉપજે છે, તેથી તેની ગણના પુણ્યપ્રકૃતિમાં કરેલી છે.* ત્રશદશકમાં સાતમે ઉલ્લેખ સુભગનામકર્મને કરેલ છે. આ કર્મના ઉદયથી જીવ સહને પ્રિય થઈ પડે છે, તેથી તેની ગણના પુણ્યપ્રકૃતિમાં કરેલી છે. ત્રશદશકમાં આઠમે ઉલ્લેખ સુસ્વરનામકર્મને કરેલ * મહાપુરૂષનાં સર્વ અંગેને શુભ ગણવામાં આવે છે.
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy