SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૧૦ · નવતરવ-દીપિકા અબજો માઈલ દૂરથી આવવા છતાં એ બધાંની ગતિ સમાન હોય છે, નહિ કે એકની શીવ્ર અને બીજાની મંદ. તેથી આ કિરણેને આવવાનું કઈ માધ્યમ હોવું જોઈએ. ત્યારબાદ આ વિષયનું સંશોધન કરતાં “ઈથર (Ether) નામને એક પદાર્થ મળી આવ્યો. પરંતુ તેના સ્વરૂપને નિર્ણય કરવાનું કામ સહેલું ન હતું. પહેલાં તેને ભૌતિક અથવા પરમાણુવિક એટલે પરમાણુઓને બનેલે માનવામાં આવ્યું, પરંતુ અનેક મતે બદલાયા પછી હવે લગભગ બધા જ વૈજ્ઞાનિકે એ માન્યતા પર આવી ગયા છે કે ઈથર અપરમાણુવિક વસ્તુ છે, સર્વત્ર વ્યાપ્ત છે અને વરતુને ગતિમાન થવામાં સહાય કરે છે. આ વસ્તુ ધર્માસ્તિકાયના સિદ્ધાંતને ખૂબ જ પુષ્ટ કરનારી છે. ઘો અડ્ડો રાસ, રૂરિશમહિથેધમસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશારિતકાયને જ્ઞાની ભગવતેએ એકેક દ્રવ્ય કહેલું છે.” એટલે કે ધમસ્તિકાય અને અધર્માસ્તિકાય અખંડ એક દ્રવ્યરૂપ છે. તેના કઈ ટુકડા કે વિભાગ નથી. આ બંને દ્રવ્યે લેકમાં સર્વત્ર વ્યાપેલા છે. અથવા - તે આ બંને પ્રત્યે આકાશના જેટલા ભાગમાં વ્યાપેલા છે, તે જ લેકની મર્યાદા છે. ૧. અહીં સર્વત્ર શબ્દ જેટલા ભાગમાં વિશ્વની સ્થિતિ છે, • તેને અનુલક્ષીને કહેવામાં આવ્યું છે.
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy