SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ અવતરવ ૧૦૭ શબ્દ લગાડવામાં આવે છે, એટલે તેના અર્થમાં ભ્રાંતિ થવાનો સંભવ નથી. ધર્મ અને અધર્મ દ્રવ્યને સ્વભાવ શું? ” એના ઉત્તરમાં પ્રકરણકાર મહર્ષિએ કહ્યું છે કે “ગઢUસાવો ધો, થિરકંટાળો નો ચ–ગતિ કરવામાં સહાય કરવી, એ ધર્મને સ્વભાવ છે અને સ્થિર રહેવામાં સહાય કરવી, એ અધર્મને સ્વભાવ છે.” અહીં સ્પષ્ટતા એટલી કે “વત gવ અને પ્રતિ प्रवृत्तानां जीवपुद्गलानां गत्युपष्टम्भकारी धर्मास्तिकाय:, स्थितिपरिणतानां तु तेषां स्थितिक्रियोपकारी अधर्मास्तिकाय રૂરિ’–સ્વયં ગમન પ્રતિ પ્રવૃત્ત થયેલા જીવ અને પુદ્ગલની ગતિમાં સહાયક થાય, એ ધર્માસ્તિકાય અને સ્થિર રહેલા પદાર્થોને સ્થિતિ-કિયામાં સહાયક થાય, એ અધર્મારિતકાય. તાત્પર્ય કે પોતાના સ્વભાવથી જ ગતિશીલ થતા એવા જીવદ્રવ્ય તથા પુદ્ગલ દ્રવ્યને ગતિ કરવામાં સહાયભૂત થવું, એ ધર્મારિતકાયનું લક્ષણ છે અને પોતાના સ્વભાવથી જ સ્થિરતા પામેલા એવા જીવ– દ્રવ્ય તથા પુદ્ગલદ્રવ્યને એ પ્રમાણે સ્થિર રહેવામાં સહાયભૂત થવું, એ અધર્માસ્તિકાયનું લક્ષણ છે. જીવ અને પુદગલ સિવાય અન્ય દ્રવ્ય ગતિમાન ૧. શ્રી ભાવવિજ્યજીત ઉત્તરાધ્યયનસૂત્રટીકા, ભાગ પહેલે, પૃ. ૨૫૯.
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy