SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ અજીવતી ધમસ્તિકાય, અધમસ્તિકાય કે આકાશસ્તિકામાં સંભવતી નથી, કારણ કે તે સકલ લેકમાં એક દ્રવ્ય રૂપે સળંગ વ્યાપીને રહેલા છે. સકલ લેકમાં વ્યાપેલું ધમાંસ્તિકાય નામનું જે દ્રવ્ય તે ધમસ્તિકાયસ્ક ધ તેને જે કલ્પિત ધૂન ભાગ તે ધમસ્તિકાયદેશ અને તેને જે નિર્વિભાજ્ય ભાગ, તે ધમસ્તિકાયપ્રદેશ અધમસ્તિકાય અને આકાશાસ્તિકાયનું પણ આ પ્રમાણે જ સમજવું. પરંતુ તેમાં અપવાદ એટલે કે ધર્માસ્તિકાય અને અધમસ્તિકાયના દેશ અને પ્રદેશ અસંખ્ય હોય છે, ત્યારે આકાશાસ્તિકાય લેકની બહાર પણ વ્યાપેલે હેવાથી તેના દેશ અને પ્રદેશ અનંત હોય છે. જે માત્ર લેકમાં વ્યાપેલા આકાશાસ્તિકાયના દેશ–પ્રદેશને વિચાર કરીએ તે તે ધમસ્તિકાય અને અધર્માસ્તિકાયની જેમ અસંખ્ય હેય છે. ધર્માસ્તિકાય, અધમરિતકાય અને આકાશાસ્તિકાયના રકંધને સ્વાભાવિક છંધ ગણવામાં આવે છે, કારણ કે તે હંમેશાં એક સરખો જ રહે છે અને તેમાં કદી વિભાવ કે વિકાર થતી નથી, જ્યારે પુદ્ગલના કંધને વૈભાવિક ઔધ કહેવામાં આવે છે, કારણ કે તેમાં અનેક પ્રકારને વિભાવ થતું રહે છે, પરિવર્તન થતું રહે છે. કાલ એક સમયરૂપ છે, એટલે તેના વિશેષ ભેદ નથી. ભૂતકાલ ચાલ્યા ગયા છે અને ભવિષ્યકાલ હજી આજો નથી, એટલે વર્તમાનકાલ માત્ર એક સમયને જ ગણાય છે અને તેને જ વ્યવહાર અહીં કાલ તરીકે થયેલ છે.
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy