SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ જીવતવ અવશ્ય પૂર્ણ કરવું જ પડે છે, પરંતુ કાલાયુષ્ય તે પૂરું કરે કે ન પણ કરેકારણ કે કલાયુષ્ય જે અપવર્તનીચ હિય, એટલે કે શસ્ત્ર વગેરેના આઘાતથી શીઘ્ર પરિવર્તન પામે તેવું હોય તે અપૂર્ણ કાલે પણ મરણ પામે અને જે અનપવતનીય હોય તે ગમે તેવાં નિમિત્તે મળવા છતાં તે આયુષ્યને કાળ પૂરે કરીને જ મરણ પામે. ' અહીં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે શાદિ બાહા નિમિત્તથી આયુષ્યને ક્ષય થાય તે તે સેપક્રમ આયુષ્ય કહેવાય. અહીં ઉપક્રમને અર્થ બાહા નિમિત્ત છે. આયુષ્યના અંતિમ કાળમાં જેને બાહ્ય નિમિત્ત આવી પડે તેવું આયુષ્ય પણ સેપક્રમ જ કહેવાય. આવા કઈ પણ બાહ્ય નિમિત્ત વિના જ જે આયુષ્યને ક્ષય થાય તે નિષ્પક્રમ આયુષ્ય કહેવાય. અનપવર્તનીય આયુષ્યમાં બા નિમિત્ત હોય પણ ખરું અને ન પણ હોય, એટલે કે તે સેપક્રમ અને નિરુપક્રમ એમ બંને પ્રકારનું હોય છે અને અપવર્તનીય આયુષ્ય તે સેપક્રમ જ હોય છે. અહીં એ સ્પષ્ટતા પણ આવશ્યક છે કે સેપક્રમ અપવર્તનીય આયુષ્યમાં અકાળ મરણ નીપજે છે, પણ સેપક્રમ અનયવર્તનીય આયુષ્યમાં તે માત્ર નિમિત્તરૂપ જ બને છે, એટલે કે એ ઉપક્રમ આયુષ્યને ન્યૂન કરતા નથી. તીર્થકરે, ચકવર્તીઓ, વાસુદે, પ્રતિવાસુદેવ, બળદેવે અને તે જ ભવમાં મેક્ષે જનાર સ્ત્રી-પુરુષ,
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy