SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ જુ : મિથ્યાત્વ ૫૬૭ આ પરમ હિતકારી, સદા આદરણીય અહિંસા ધર્મ છે. તેને મિથ્યાત્વ મેહનીયના ઉદયથી કુગુરુઓના ઉપદેશથી ભ્રમમાં પડીને અધર્મ કહે છની રક્ષા કરવામાં, દયા પાળવામાં, મરણુભિમુખ થયેલા જીવોને બચાવવામાં–છોડાવવામાં. પાપ સમજે, “જીવ મારવામાં એક પાપ બચાવવામાં ૧૮ પાપ” આવી આવી ઉસૂત્ર પ્રરૂપણ કરે; ખોટા હેતુ દષ્ટાંતો આપી અંતકરણમાંથી સમ્યકત્વને ખાસ ગુણ જે અનુકંપા છે તેને જ અળગે કરે તેને અને તેના અનુયાયીઓને મિથ્યાત્વી જાણવા. ૧૨, અધમને ધમ સÉહે તો મિથ્યાત્વ ઉપર્યુક્ત ધર્મનાં લક્ષણેથી જે ઊલટાં કૃત્યે અર્થાત્ પ્રાણી, ભૂત, જીવ, સત્વની હિંસાનાં કાર્યો, હોમ, હવન, યજ્ઞ, કન્યાદાન, ઋતુદાન, નૃત્ય, ગાનતાન, નાટક, તમાશા, રાસ રમવા, ઈત્યાદિ કૃત્યમાં ધર્મ માને તે મિથ્યાત્વ. જ્યાં ચોગની પ્રવૃત્તિ છે ત્યાં આસ્રવ તે અવશ્ય હોય છે અને યેગની પ્રવૃત્તિ વિના ધર્મારાધન થવું પણ મુશ્કેલ છે. આવા સ્થાનમાં આસવરૂપ અધર્મને, ધર્મરૂપે સર્દ હવે તે મિથ્યાવથી આત્માની રક્ષા કેવી રીતે થઈ શકે એ વિચારણીય પ્રશ્ન છે. પરંતુ શુદ્ધ શ્રદ્ધાવંતની દષ્ટિ વ્યાપારીના જેવી હોય છે. ખર્ચ કરવામાં વ્યાપારી ખુશી તે ન હોય, પરંતુ ખર્ચ કર્યા વિના વેપાર ચાલતું નથી, અને વેપાર કર્યા વિના કમાણી થવાનો સંભવ નથી; તેથી કમાણી કરવા માટે ખર્ચ કરવું પડે છે ત્યારે ડે ખચે કામ સરતું હોય ત્યાં વિશેષ ખર્ચ કરતા નથી, અને છેવટે નફા તેટાનું સરવૈયું કાઢી ખર્ચથી લાભ અધિક થયેલ હોય તે આનંદ પામે છે. તેવી જ રીતે ધર્માત્માઓને ધર્મ વૃદ્ધિનાં કામ કરતાં ગમનાદિ ક્રિયારૂપ ખર્ચ થાય છે, પણ તેમાં ખુશી માનતા નથી, તેને તે પાપ જ માને છે, અને જે આત્મગુણોની વૃદ્ધિ, ધર્મોન્નતિ, સ્વ–પર આત્માને
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy