SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ જૈન તત્વ પ્રકાશ ઉત્કૃષ્ટ સંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે. તિષ્ક દેવ જઘન્ય ઉત્કૃષ્ટ સંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે, વૈમાનિક દે ઊંચે પિતાના વિમાનની ધ્વજા સુધી દેખે છે અને સાગરોપમના આયુષ્યવાળા અસંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે, અને નીચે પહેલા બીજા દેવકના દેવે પ્રથમ નરક સુધી દેખે. ત્રીજા ને ચોથા દેવકના દેવે બીજી નરક સુધી દેખે. પાંચમા છઠ્ઠા દેવલોકના દેવો ત્રીજી નરક સુધી દેખે. સાતમા આઠમા દેવલેના દેવે જેથી નરક સુધી દેખે. નવમા, દસમા, અગિયારમા અને બારમા દેવલેકના દેવે પાંચમી નરક સુધી દેખે. નવ ગ્રેવેયકના દે છઠ્ઠી નરક સુધી દેખે. ચાર0 અનુત્તરવિમાનના દેવ સાતમી નરક સુધી દેખે. અને સર્વાર્થસિદ્ધિ વિમાનવાસી દેવ સપૂર્ણ લેકમાં કંઈક કમ જાણે દેખે. સંજ્ઞી તિર્થન્ચ પંચેન્દ્રિય જઘન્ય અંગૂલને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે. સંજ્ઞી મનુષ્ય જઘન્ય અંગૂલને અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ લેક અને લેક જેવડા અલકમાં અસંખ્યાતા ખંડ દેખવાની શક્તિ છે. તે ૩. સંસ્થાન દ્વાર–અવધિજ્ઞાનથી નારકી ત્રિપાઈન આકારે દેખે, ભુવનપતિવાલા (ટોપલા)ને આકારે દેખે, વ્યંતર પડાને આકારે દેખે, તિષી ઝાલરને આકારે દેખે, બાર દેવકના દેવે મૃદંગને આકારે દેખે. રૈવેયકના દેવ ફૂલની છાબડીને આકારે દેખે, અનુત્તરવિમાનવાસી કુમારિકાની કંચુકીને આકારે દેખે. અને મનુષ્ય તિર્યંચ અવધિજ્ઞાનથી જાળીના આકારે અનેક પ્રકારે દેખે છે. * પહેલા બીજા દેવલોકના દેવો અને કિલ્વિપી દેવો પૈકી જેમનું પલ્યોપમનું આયુષ્ય છે તે જ સંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે છે. બાકીના બધા અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે છે. | 0 કોઈ સ્થળે પહેલેથી છઠ્ઠી વેયક સુધીના દેવ છઠ્ઠી નરક સુધી અને ઉપલી ૩ ગ્રેવેયકના દેવ સાતમી નરક સુધી દેખે છે એમ જણાવ્યું છે. + જે અવધિજ્ઞાન અંગૂલનો અસંખ્યાતમે ભાગ ક્ષેત્ર દેખે છે તે કાળથી આવલિકાના અરાખ્યાતમા ભાગના કાળની વાત જાણે છે. અંગૂલને સંખ્યાનો ભાગ
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy