SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ ૪૮૫ ઉક્ત મતિ અને કૃતજ્ઞાનને પરસ્પર ક્ષીરનીરની પેઠે ઘનિષ્ટ સંબંધ છે. જગતને કોઈ પણ જીવ આ બે જ્ઞાન વગરને હોતે નથી. પરંતુ સમ્યગ્દષ્ટિવાળાના જ્ઞાનને જ્ઞાન કહે છે અને મિથ્યાષ્ટિના જ્ઞાનને અજ્ઞાન કહે છે. ઉત્કૃષ્ટ મતિશ્રુતજ્ઞાનને ધારક સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણે છે તેથી તે શ્રુતકેવળી કહેવાય છે. જાતિસ્મરણજ્ઞાન તે મતિજ્ઞાનને એ પ્રકાર-ધારણ–તેમાંય સમાય છે. જાતિસ્મરણ જ્ઞાનથી ઉત્કૃષ્ટ ૯૦૦ ભવ (જે સંજ્ઞી પંચેન્દ્રિયના આંતરરહિત નવસે ભવ કર્યા હોય તે) જોઈ શકાય છે. ૩. અવધિજ્ઞાન-મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોને ઇંદ્રિયની અપેક્ષા વિના જે જ્ઞાન વડે જાણી શકાય તે અવધિજ્ઞાન. તેના ૮ પ્રકારઃ ૧. ભેદકાર-અવધિજ્ઞાન બે પ્રકારનું છે. (૧) ભવપ્રત્યય (ઉત્પત્તિની સાથે જ પ્રકટ થાય છે તે) દેવતા, નારકી અને તીર્થકરેને હોય છે. અને (૨) લબ્ધિપ્રત્યય-મનુષ્ય-તિર્યંચને કરણી કરવાથી ક્ષયપશમથી થાય છે. ૨. વિષયઢાર-અવધિજ્ઞાનથી સાતમી નરકના નારકી જઘન્ય અર્થે ગાઉ દેખે, ઉત્કૃષ્ટ એક ગાઉ દેખે, છઠ્ઠી નરકવાળા જઘન્ય ૧ ગાઉ ઉત્કૃષ્ટ ના ગાઉ દેખે; પાંચમી નરકવાળા જઘન્ય ૧ ગાઉ ઉત્કૃષ્ટ ૨ ગાઉ, ચેથી નરકવાળા જઘન્ય ૨ ગાઉ, ઉત્કૃષ્ટ રા ગાઉ. ત્રીજી નરકવાળા જઘન્ય રા ગાઉ, ઉત્કૃષ્ટ ૩ ગાઉ, બીજી નરકવાળા જઘન્ય ૩ ગાઉ, ઉત્કૃષ્ટ ૩ ગાઉ દેખે, પહેલી નરકવાળા જઘન્ય ૩ ગાઉ ઉત્કૃષ્ટ ૪ ગાઉ અવધિજ્ઞાનથી જાણું દેખી શકે છે ૯ અસુરકુમાર દેવે જઘન્ય ૨૫ પેજન ઉત્કૃષ્ટ અસંખ્યાતા દ્વિપ સમુદ્ર દેખે. તેને નવનિકાયના દેવે જઘન્ય ૨૫ પેજન, ઉત્કૃષ્ટ સંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે. વાણવ્યંતર દેવે જઘન્ય ૨૫ પેજના '* નારકી જીવો મહાવેદના અનુભવવાથી કે જાતિસ્મરણજ્ઞાનથી પાછલા ભવની વાત જાણી શકે છે પણ દેખી શકતા નથી. કારણ કે તે પક્ષ જ્ઞાન છે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy