SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ લું : ધર્મની પ્રાપ્તિ - ૩૭૩ જાય છે. એમાંથી પણ કંઈ આરામ મળે ત્યાં તે લેણ, દેણુ, આબરૂ, લાભ, હાનિ, તેજ, મંદી, કજીયા, કંકાસ, સગપણ, વિવાહ, વગેરે અનેક ઉપાધિઓ આવી પડે છે, હે! હિસાબી સુજ્ઞ બંધુઓ! હવે વિચાર તો કરે કે સો સો વર્ષનું આયુષ્ય છતાં તેમાંના કેટલા દિવસે તમે સુખમાં ગાળી શકે છે? વળી, કહ્યું છે કે - ગાથા-મામતિ સુવાવુથા, ના ઘા વરિતદ્દા કુમાર ) जोवणगा मउझमा थेरगाय, ययंति आयुक्खय पलीणा ॥ . સૂયગડાંગ સૂત્ર સારાંશ-ભગ ભોગવવા ટાણે નવ લાખ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય સ્ત્રીના ગર્ભાશયમાં ઊપજે છે. એમાંના એક, બે કે ચાર જીવતા રહે છે. બાકીના બધા પુરુષના વીર્યના સ્પર્શથી મરી જાય છે. તે પછી પણ કેટલાક ગર્ભાશયમાં તરતજ, કેટલાક ગર્ભાશયમાં થોડા મહિના થયા પછી, કેટલાક અન્ય અસહ્ય સંગ થવાથી, કેટલાક પ્રસવતાંજ આડા આવે છે, ત્યારે કાપીને કાઢવા પડે છે. તેથી કેટલાક જન્મ થયા બાદ મૂર્ખાઈને લીધે બાળપણમાં અને કેટલાક ભરજુવાનીમાં મૃત્યુ પામે છે. બધા વિદથી બચી જે કઈ ઘડપણુ લગી ટકે છે તે તેને છેવટ કાળ તે આવે જ છે. જેમ ફરતી ઘંટીનાં બે પડ વચ્ચે જે દાણું આવ્યા તે આખા ને આખા રહેવાનો ભરોસો રહેતું નથી, ઘંટીના કેટલાક આંટા ફર્યા પછી તેને લેટ થવાને જ; તે પ્રમાણે કાળરૂપ ઘંટી છે, તેનાં બે પડ છે; ભૂતકાળરૂપી નીચેનું એક સ્થિર પડે અને ભવિષ્ય કાળરૂપી આ શ્લેક—સત્વરા મતાત્તિ સંસી ગોવિનં व्यापार बहुकार्यभारगुरुभिः, कालो न विझायते ॥ द्वंद्वा जन्म जरा विपत्ति मरणं त्रासश्चनोत्पद्यते । पीत्वा मोहमयीं प्रमाद मदीरा, मुन्म-तीभूत जगते ॥ અથ–સૂર્ય ઉદય-અસ્ત થવાથી દિવસે દિવસે આયુષ્ય ઘટતું જાય છતાં અનેક કામકાજ અને ઉપાધિઓમાં ગૂંચા હોવાથી જીવને કાળની ખબર
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy