SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ જૈન તત્વ પ્રકાશ જ્ઞાન હેતું નથી. બીજા છ હજાર દિવસે જરા અવસ્થા (ઘડપણ) માં કોયા. વૃદ્ધાવસ્થા પણ મહાદુઃખનું કારણ છે, એમ શાસ્ત્રમાં સ્થળે સ્થળે બતાવેલ છે. ( ટુ કા ફુવં') એ અવસ્થામાં મન મોજશોખ ભોગવવા ઇચ્છા કરે છે પણ ઇંદ્રિય ઘણું જ નબળી પડી જાય છે. તેથી ખાનપાનાદિ ભેગવવા છતાં દુઃખને ખરેખર વધારે જ થાય છે* ઘડપણમાં આંખે બરાબર દેખાતું નથી, કાને સંભળાતું નથી, દાંત પડી જવાથી ખાવામાં મજા આવતી. નથી અને ખોરાક ચવાતો ન હોવાથી પચતું પણ નથી. અપચે થવાથી અનેક રોગો ઉત્પન્ન થાય છે. વૃદ્ધનું શરીર અશક્ત, નકામું તથા અળખામણું લાગે એવું થતું જતું હોવાથી સ્વજને પણ અપમાન કરે છે ઈત્યાદિ અનેક દુઃખો જરા અવસ્થામાં છે. એ રીતે બાળપણ ને ઘડપણના મળી બાર હજાર દિવસે ફેગટ ગયા. હવે જે છ હજાર દિવસે જુવાન અવસ્થાના રહ્યા તેમાં પણ કઈ વાર શરીરમાં અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે, રોગથી મુક્ત થાય તે કેઈ સ્વજનના વિયેગનું દુઃખ પડતાં વિલાપ કરવામાં દિવસે શ્લેક–afમઘમત્ત, તૈિ તું ાિરઃ गात्राणि शिथिलायन्ते, तृष्णका तरूणायते ॥ અર્થ – ઘડપણમાં મેની ચામડી સુકાઈને કરચલીવાળી થઈ ગઈમાથાના વાળ ધોળા થઈ ગયા, અને બીજાં બધાં અંગે ઢીલાં પડી ગયાં, છતાં એક તૃષ્ણ જવાન થઈ રહી છે. શ્લોક-મોજા ન મુજા, રમેવ મુજા તો ન તd, વમેવ તતા Ar कालो न यातो, वयमेव याताः । तृष्णा न जीर्णा, वयमेव जीर्णाः ॥ અથર–વૃદ્ધ પુરુષે ભોગેને ભોગવ્યા નહિ પણ ભેગેથી પોતે ભોગવાઈ ગ. એટલે, પિતે ભોગને છોડ્યા નહિ પણ ભોગોએ તેને છોડી દીધો. તપ કરીને તેણે શરીરને સૂકવ્યું નહિ પણ દુઃખ-ઉપાધિરૂપી તાપ વડે શરીર સાવ જીર્ણ ને દબળું થઈ ગયું. કાળને તેણે છ નટિ પણ કાળે તેને જીતી લીધે એટલે મરણ પામે. તૃષ્ણ ઘરડી ન થઈપણ પોતે જ ઘરડો થઈ ગયો.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy