SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ છે જેન ચિત્રક૯૫૬મ ભિક્ષુસ્થવિરેના આધિપત્ય નીચે મળેલ જેન ભિક્ષુ અને ભિક્ષપાસકેન સંધસમવાય અને તે ઉપરાંત સર્વમાન્યપણે શાલેખનનો પ્રથમારંભ તેમજ ભાષ્યચૂર્ણ આદિ માન્ય ગ્રંથોમાં મળતા અનેક જાતના ઉલ્લે, આ બધી પરિસ્થિતિ અને વસ્તુને વિચાર કર્યા પછી આપણે એટલું વિશ્વાસપાત્ર અનુમાન દેરી શકીએ છીએ કે તે યુગમાં મા પાયા ઉપર પુસ્તકલેખનને સમારંભ ઉજવાયે હશે, સ્થાનસ્થાનમાં જ્ઞાનકેશની સ્થાપના કરવામાં આવી હશે, પુસ્તકલેખન અને રક્ષણને અંગે ઉપયોગી તાડપત્ર, કપ, લેખણ, શાહી, કાંબી, ખડિયા, પદિકાઓ, દાબડાઓ, બંધને આદિ દરેક સાધન વિપુલ પ્રમાણમાં એકત્ર કર્યા હશે અને સર્વોત્કૃષ્ટ વિશિષ્ટ લેખકે પણ એકઠા કર્યા હશે, એટલું જ નહિ પરંતુ પોતાની ઢબે તૈયાર પણ કરવામાં આવ્યા હશે. સર્વમાન્ય જૈન ગ્રંથલેખનના આરંભકાળ પછીનાં છ વર્ષ સુધીના ગ્રંથલેખન વિષે આપણે આથી વધારે કશું જ કહી તે જાણી શકીએ તેમ નથી; પરંતુ તે પછીનાં છેલ્લા એક હજાર વર્ષમાં લખાએલાં પુસ્તકો અને ગ્રંથાલયોના મહત્તભર્યા જે અનેકવિધ અવશે આપણી સમક્ષ જીવતાજાગતાં ઊભાં છે તેનું અવલોકન કરતાં આપણે પુસ્તકલેખન અને જ્ઞાનભંડારે આદિના સંબંધમાં ઘણીધણી વાતો જાણી શકીએ છીએ; જેમાંની કેટલી યે અમે ઉપર નોંધી ગયા છીએ, કેટલી યે આગળ ઉપર નેધીશું અને કેટલીક આ વિભાગમાં નોધવામાં આવે છે. રામભકારની સ્થાપના અને અભિલિ પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના અંતમાં દષ્ટિગેચર થતી સંખ્યાબંધ પ્રશસ્તિઓ તથા આચાર્ય શ્રીઉદયપ્રભકૃત ધર્મભુદયમહાકાવ્ય (વસ્તુપાલચરિત્ર), પ્રભાવક ચરિત્ર, જિનહર્ષકૃત વસ્તુપાલચરિત્ર, કુમારપાલપ્રબંધ, સુકૃતસાગરમહાકાવ્ય, ઉપદેશતરંગિણ, કુમારપાલરાસ, વસ્તુપાલતેજપાલરાસ આદિ ઐતિહાસિક ચરિત્ર અને રાસાઓ તેમજ છૂટક જૂનાં પાનાંઓમાં મળતી વિવિધ નોધે જોતાં જાણુ શકાય છે કે જૈન શ્રમણએ જ્ઞાનભંડારની અભિવૃદ્ધિ માટે સર્વતોમુખી ઉપદેશપ્રણાલી સ્વીકારી છે. જે લોકો સમજદાર હોય તેમને પ્રાચીન માન્ય ધુરંધર આચાર્યોની કૃતિઓ અને શાસ્ત્રોનું મહત્વ સમજાવવામાં આવતું, એટલું જ નહિ પણ તે કૃતિઓ અને શાસ્ત્રો સંભળાવવામાં પણ આવતાં; જે લોકો એ સમજી શકે તેમ ન હોય તેમને જ્ઞાનભક્તિનું રહસ્ય અને તે દ્વારા થતા લાભ સમજાવતા ૮ અને જે લોકે કીર્તિ તથા નામનાના ઇછુક હોય તેમને તે જાતનું ૯૮ શ્રીમાન સૂરાચાર્યે વિઠમને બારમે છે) નાવિકજનના પાકમાં અવસરમાં પુસ્તકલેખન સંબંધમાં ઘણુંઘણું લખ્યું છે ત્યાં તેઓએ પ્રસંગોપાત નીચે પ્રમાણે જણાવ્યું છે. ये लेखयन्ति सकलं सुधियोऽनुयोग, शब्दानुशासनमशेषमलकृतीथ । छन्दांसि शाखमपरं च परोपकारसम्पादनकनिपुणाः पुरुषोत्तमास्ते ॥१४॥ किं कि तेर्न कृतं ? न कि विवपित ? दान प्रदत्तं न कि ? केवाऽऽपर निवारिता तमुमता मोहार्णवे मज्जताम् ।। , नो पुण्यं किमुपार्जितं ? किमु यशस्तार न विस्तारितं ? હતાશાળાકark : શાસન વિતા | | ઇત્યાદિ.
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy