SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ જેન ચિત્રકલ્પમ જેવાં પુસ્તકોમાં, વચમાં જ્યાં કાણું પાડવાની જગ્યા રાખવામાં આવે છે ત્યાં, કલ્પસૂત્રને લગતાં સુંદર નાનાં ચિત્રો પણ દોરવામાં આવતાં. સુવર્ણાક્ષરી–રોપ્યારી પુસ્તક સોનેરી (નાની) અને રૂપેરી (ચાંદીની) શાહીથી પુસ્તકો કેમ લખાતાં એ જાણવું અતિ મહત્વનું છે. આપણું ચાલુ વેળા કાગળ ઉપર સેનેરીપેરી શાહીનું લખાણ લેશ પણ દીપી ઊઠે તેમ નહિ હોવાથી આ બે જાતની શાહીથી પુસ્તક લખતાં પહેલાં કાગળને-પાનને “બેંક ગ્રાઉન્ડ તરીકે લાલ, કાળા, વાદળી, જામલી વગેરે ઘેરા રંગથી રંગીન બનાવવામાં આવતાં અને તેમને અકીક, કસોટી, કપડા વગેરેના ઘૂંટાથી ઘૂંટીને મુલાયમ બનાવી લેવામાં આવતાં હતાં. તે પછી એ પાનાં ઉપર, અમે અગાઉ જણાવી ગયા છીએ એ રીત પ્રમાણે તૈયાર કરેલી સોનેરી–પેરી શાહીની ભૂકીને અત્યંત સ્વચ્છ ધવના ગુંદરના પાણી સાથે ભેળવી, શાહી રૂપે તૈયાર કરી પછી વડે અથવા તેને લાયક કલમથી ગ્રંથ લખવામાં આવતું. આ અક્ષરે સુકાયા પછી તેને અકીક વગેરેના ટાથી ઘટતાં એ લખાણ બરાબર તૈયાર ઓપદાર બની જતું. આ લખાણની વચમાં અને તેની આસપાસ અનેક જાતનાં રંગબિરંગી ચિત્ર, વેલો વગેરે કરવામાં આવતાં હતાં. લખવામાં પણ અનેક જાતની ભાત અને ખૂબીઓ દર્શાવવામાં આવતી. સોનેરી રૂપેરી શાહીથી લખેલું તાડપત્રીય પુસ્તક આજ સુધીમાં ક્યાંયે જોવામાં કે સાભળવામાં આવ્યું નથી. કહેવામાં આવે છે કે પરમહંત ગૂર્જરેશ્વર મહારાજ શ્રી કુમારપાલદેવે જૈન આગમોની તેમજ આચાર્ય શ્રી હેમચંદ્રકૃન ગ્રંથની સુવર્ણાક્ષરી પ્રતિઓ પોતાના જ્ઞાનકોશ માટે લખાવી હતી;૮૯ એ જ પ્રમાણે મહામાત્ય શ્રીવાસ્તુપાલે જૈન આગમોની એકેક પ્રતિ સુવર્ણાક્ષરે લખાવ્યાનું પણ કહેવામાં આવે છે. એ પ્રતિઓ તાડપત્ર ઉપર લખાઈ હશે કે કાગળ ઉપર એ નિશ્ચિત પે કહેવાનું કે જાણવાનું અમારી પાસે કશું જ સાધન નથી. અમારા જેવામાં જે અનેકાનેક સુવર્ણક્ષરી સુંદર પુસ્તકે આવ્યાં છે એ બધાં યે કાગળ ઉપર અને વિક્રમની પંદરમી–સોળમી આદિ સદીમાં લખાએલા છે. અમારી માન્યતા તે એવી છે કે તાડપત્ર ઉપર સુવર્ણાક્ષરી જૈન પુસ્તકે લખાયાં જ નથી, એટલું જ નહિ પણ વિક્રમની પંદરમી શતાબ્દી પહેલાં સુવર્ણાક્ષરી પુસ્તકે લખાતાં હોય એમ પણ અમને લાગતું નથી રીપ્યાક્ષરી પુસ્તક લખવાની પ્રથા સુવર્ણાક્ષરી પુસ્તક કરતા યે ૮૮ શ્રી હસવિજયજી મહારાજના વડોદરાના નપુસ્તકસગ્રહમા કહપસૂત્રની એક પ્રતિના મધ્યમાં આ પ્રમાણેનાં ચિત્ર છે ८९ (क) "जिनागमाराधनतत्परेण राजर्षिणा एकविंशतिःज्ञानकोशा. कारापिताः। एकादशा-द्वादशाहोपाहादिसिलान्तप्रतिरेका सौवर्णाक्षरेलेखिता, योगशास्त्र-वीतरागस्तवद्वात्रिंशत्प्रकाशाः सौवर्णाक्षरा हस्तपुस्तिकायां लेखिताः। सप्तशतलेखकाः लिखन्ति ।' कुमारपालप्रबन्ध पत्र ९६-९७ ॥ (ख) 'श्रीकुमारपालेन सप्तशतलेखकपार्थात् ६ लक्ष ३६ सहस्रागमस्य- सप्त प्रतयः सौवर्णाक्षराः श्रीहेमाचार्यप्रणीतव्याकरण-चरितादिप्रन्थानामेकविंशतिः प्रतयो लेखिताः ॥' उपदेशतरङ्गिणी पत्र १४०॥ હ૦ જુઓ ટિપ્પણ ન. ૩૦ (ત્ર).
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy