SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ જૈન ચિત્રકલ્પદ્રુમ કહેવું ઉચિત છે. આપણા પ્રાચીન લેખકા બે લીટી વચ્ચેનું અંતર ઓછું રાખતા હોઈ તે ઠેકાણે લખાતાં હસ્વ-દીર્ઘ ઇ-ઉનાં પાખડાં (f ↑。。 ), માત્રા (` ↑ ) વગેરેને નાના માપમાં અથવા અમમાત્રા પૃષ્ઠિમાત્રા રૂપે લખતા હતા. એટલેકે હવ-દીર્ઘ કારનાં પાંખડાંને અત્યારે આપણી ચાલુ લિપિમાં લખીએ છીએ તેમ અક્ષરની નીચે ન લખતાં જે રીતે દીર્ઘ અને હસ્વ-દીર્ઘ ૬૫ માં ઉકાર જોડવામાં આવે છે તેમ દરેક અક્ષરની આગળ જોડતા, અને અત્યારે પણ કેટલાએક લેખકા એ રીતે જોડે છે. આને અમે અગ્નમાત્રા' તરીકે ઓળખાવીએ છીએ. આ અદ્મમાત્રા આજે અધેમાત્રાના રુપમાં ફેરવાઇ ગએલી છે. અત્યારે અક્ષરની સાથે જોડાતા હસ્વદીધું ઉકાર •) એ પ્રાચીન આકૃતિઓના પરિણામરૂપ છે. જેમ હસ્વ-દીર્ઘ ઉકાર ‘અગ્રભાત્રા’ તરીકે લખાતા હતા તેમ આપણી માત્રા, ચાલુ લિપિમાં લખાય છે તેમ ‘ઊર્ધ્વમાત્રા' તરીકે અર્થાત્ અક્ષરની ઉપર ન લખાતાં અક્ષરની પાછળ લખાતી હતી, અને એ જ કારથી આપણે ત્યાં એ માત્રાઓને ‘ડિમાત્રા’ (સં॰ દૃષ્ટિમાત્રા૰ પરિમાત્રાનુ૦ વષ્ટિમાત્રા) તરીકે ઓળખવામાં આવે છે. એ પડિમાત્રાએ કાળે કરી ઊર્ધ્વમાત્રા તરીકે અટલે અક્ષરની ઉપર લખાવા લાગી છે. દા. ત. વેદ, ચેય, નો=ાના, મૌ=ામો ઇત્યાદિ. ટૂંકમાં અમારા કથનના આશય એ છે કે પ્રાચીન કાળમા લખાતી અગ્રભાત્રા અને પૃષ્ઠિમાત્રા (પશ્ચિમાત્રાઓ) પાછળના જમાનામા અધેમાત્રા અને ઊર્ધ્વમાત્રાના રૂપમાં ફેરવાઇ ગઇ છે. અહીં અમે પ્રાચીન વર્ણમાળાના વિકાસને અંગે લખવા નથી ખેડા, તેમ છતાં આ વિષયને અહીં આટલા ચર્ચવાનું કારણ એ છે કે પ્રાચીન લેખકાએ પાતાના લેખનમાં સુગમતા અને લિપિમાં એના ખરા અર્થ રો। હશે એ માટે કાઇ પ્રાચીન ઉલ્લેખ મળતા નથી તેના નકારીને એ માટે પૂછતા તે સું॰ પ્રતિમાત્રા શબ્દના નિર્દેશ કરે છે, પરંતુ ‘પ્રતિમાત્રા’ શબ્દથી વાસ્તવિક અર્થે પ્રગટ થતા નથી એમ અમને લાગે છે, એટલે અમે ‘પડિયાત્રા' શબ્દને સઁ દૃષ્ટિમાત્રા શબ્દ ઉપરથી આવેલા માનીએ છીએ, જેનો અક્ષરની પાછળ લખાતી માત્રા' એ વાસ્તવિક અર્થઘટમાન છે. આ રીતે ‘અક્ષરની આગળલખાતી માત્રા' એ અન્યને ધ્યાનમા રાખી અમે અગ્નમાત્રા શબ્દ ઉપજાવી કાઢયે છે પ્રાચીન લિપિમા પડિમાત્રાને જેટલેા અવકાશ હતા અને તેના પ્રચાર હને તેના દાંશ જેટલા યે અપ્રમાત્રાને અવ કાશ કે તેના પ્રચાર નહોતા, એ પ્રાચીન શિલાલેખા અને પુસ્તકા એના સમજી શકાય છે. પડિમાત્રાના પ્રચાર એક કાળે લગભગ સાર્વત્રિક અને નિયત હતા, ત્યારે અગ્રભાત્રા માટે તેમ ન હતુ પડિમાત્રા લખવાની પદ્ધતિ એ, લિપિના એક વિશિષ્ટ વારસે છે, ત્યારે અગ્રમાત્રાની પદ્ધતિ એ લિપિ લખવાની સુગમતા અને સુઘડતાને આભારી છે એમ અમે માનીએ છીએ, પડિમાત્રાનું શેખન આજે સર્વથા આથમી ગયુ છે, જ્યારે અગ્રભાત્રાનુ તેખન આજે કેટલાક લેખક઼ામાં ચાલુ છે. કેટલાક વિદ્વાનાનું માનવુ એવુ છે કે વિક્રમની તેરમી સદી પહેલાં પડિમાત્રા જ લખાતી હતી, ઊર્ધ્વમાત્રાના ત્યારે પ્રચાર જ ન હતા, આ માન્યતા તદ્ન ભૂલભરેલી છે વિક્રમની બારમી સદી અને તે પહેલાં લખાએલા એવા અનેક શ્રધા અને શિલાલેખા આજેમળે છે, જેમાં પડિમાત્રાને બદલે ઊર્ધ્વમાત્રાએ પણ લખેલી છે પાટણના સથવીના પાડાના જૈન જ્ઞાનભરમાના પંચસંગ્રહ વેપજ્ઞ ટીકા વગેરે અગિયારમા સૈકામાં લખાએલા જેવા લાગતા ગ્રન્થેામા ઊર્ધ્વમાત્રાએ જ લખાએલી છે (જુએ ચિત્ર નં ૧૧મા ઉપરનુ પહેલુ ૧પ૯ નમ્બરનુ પાનુ), રાંતેજ'ના જૈન મંદિરમાં એક પ્રતિમાના પરિકર ઉપર થત ૧૧૨૪ના લેખ છે, તેમાં પડિમાત્રા બીલકુલ ન હોતાં બધીયે ઊર્ધ્વમાત્રાએ જ લખેલી છે.
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy