SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જેને શમણસંસ્કૃતિ અને લેખનકળા રંગ તરીકે અમે આગળ સંશાધનવિભાગમાં જણાવીશ એ હરતાલ અને સફેદાને ઉપગ કરાત હતો. આ સિવાયના બીજા રંગે એકબીજી શાહીઓના મિશ્રણથી ઉપજાવવામાં આવતા હતા. દા. ત. હરતાલ અને હિંગળોક મેળવી નારંગી રંગ બનાવતા હતા; હિંગળક અને સફેદ મેળવી ગુલાબી રંગ બનાવતા હતા; હરતાલ અને કાળી શાહી મેળવી લીલે રંગ બનાવતા હતા ઇત્યાદિ. કેટલીકવાર ચિત્રકામ માટે ઉપયોગી કેટલાક રંગે એકબીજા પદાર્થોના મિશ્રણથી તૈયાર કરવામાં આવતા હતા. અમારી પાસે એક પાનું છે જેમાં એવા કેટલાક રંગની બનાવટને લગતી નેધ છે. જે અહીં આપીએ છીએ? અથ૭ ચીત્રામણ રંગ ભર્યાની વધીઃ (૧) સફેદ ટાં. ૪–માવડી (પીઉડી) ટાં. ૧, સીંધુર ટાં. ૧–ગેરો રંગ હઈ. (૨) સીંદુર ટાં.૪,પોથી ગલી ટાં. ૧–ખારીક રંગ હઈ. (૩)હરતાલ ટા. ૧, ગલી ટાં. બા–નીલો રંગ હઈ. (૪) સફેદ ટાં. ૧, અલતે ટાં. ૧–ગુલાબી રંગ હેઈ. (૫) સફેદ ટાં. ૧, ગલી. ૧–આકાશી (આસમાની) રંગ હેઇ. (૬) સીંધુર ટાં. ૧, ખાવડી (પીઉડી) ટાં. નારંગી રંગ હાઇ.” - ઉપરક્ત રંગેને, તેની સાથે સ્વચ્છ ગુંદરનું પાણી નાખી હસ્તલિખિત પુસ્તકના ચિત્રકામ માટે વાપરવામાં આવે છે. () જે લખાય તે–નિ લિપિ લિપિને વાર જે લખાય તે એ સાધનમાં લિપિનો સમાવેશ થાય છે. અમે અગાઉ જણાવી ચૂક્યા છીએ કે જૈન પ્રજા એક કાળે મગધવાસિની હતી, પરંતુ તે પછી ભયંકર દુકાળો અને સાંપ્રદાયિક સાઠમારી વગેરેને પરિણામે એ ભૂમિને ત્યાગ કરીને રાષ્ટ્ર-ગૂજરાતની ભૂમિમાં સ્થાયી નિવાસ કર્યો છતા એ પ્રજા ત્યાંની સંસ્કૃતિ અને સંસ્કારને વિસરી ગઈ નહોતી. એ સંસ્કૃતિ અને સંસ્કાએ જૈન પ્રજાની લેખનકળામાં પિતાનું અસ્મિત્વ સ્થાપિત કર્યું છે, જેને પરિણામે મગધની મુખ્ય લિપિ બ્રાહ્મીબંગલાની છાયા જૈન લિપિમાં ઊતરી આવી છે. એ છાયા એટલે અક્ષરના ભરેડ, યોજના પડિમાત્રા વગેરે. બ્રાહ્મીદેવનાગરી અથવા દેવનાગરી લિપિમાંથી પમિાત્રાની પ્રથા વિક્રમની દસમી શતાબ્દી પહેલાથી ઘટતાં ઘટતાં આજે એ સદનર લુપ્ત થઈ ગઈ છે, જ્યારે અત્યારની બ્રાહ્મીબંગલા અથવા બંગાળી લિપિમાં પડિમાત્રાની એ પ્રથા એકધારી ચાલુ જ છે. આ કારણથી પ્રાચીન લિપિના જૈન ગ્રંથો વાંચનારને માટે સૌ પહેલાં બંગાળી લિપિ જાણી લેવી એ વધારેમાં વધારે સગવડતાભર્યું છે. સેંકડો વર્ષના અનેકાનેક સંસ્કારને અંતે આજે જૈન લિપિ ગમે તેટલું પરિવર્તન પામી હોય, તેમ છતાં જૈન ગ્રંથની લિપિ અને બંગાળી લિપિ એ ઉભયની તુલના કરનાર સહેજે સમજી શકશે ૧૩ ૨ ગની નોંધનું આ પાનુ પાટનિવાસી મારા શિષ્ય મણિલાલ પાંડ પાસેથી ઉપલબ્ધ થયું છે. ૪ ભારતવર્ષની પ્રચલિત અત્યારના સવનાગરી, બંગાળી આદિ તમામ લિપિઓ બ્રાહ્મી લિપિના જ નકારાંતર હોઈ અમે એ લિપિઓનો મહા બ્રાહીબગલા, બ્રાહીવનાગરી એ નામથી ઉલેખ કર્યો છે.
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy