SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકાળુભ ૧૪૨ ચિત્રનું મૂળ કદ ૩×૨ ઈંચ ઉપરથી સહેજ નાતું. આ ચિત્રમાં પશુ ઉપર અને નીચે એમ એ પ્રસંગો છે. તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના નેમિનાથના જન્મ પ્રસંગને લગતાં ચિત્રથી થાય છે. વર્ષાકાળના પહેલા મહિનામાં, ખીજા પક્ષમાં શ્રાવણ શુકલ પંચમીની રાત્રિને વિષે, નવ માસ બરાબર સંપૂર્ણ થતાં, ચિત્રા નક્ષત્રમાં ચંદ્રના યેાગ થતાં, આરાગ્ય દેહવાળી શિવાદેવીએ આરેાગ્યપુત્રને જન્મ આપ્યા. જન્મમહેસવને લગતાં વર્ણન માટે તથા ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવે મેરૂપર્વત ઉપર નેમિનાથના ઇંટ્રે કરેલા સ્નાત્રમહે।ત્સવ વગેરે સર્વ શ્રીમહાવીરસ્વામીની પેઠે ચિત્ર ૬૭ અને ૭૦ ના વર્ણન પ્રમાણે સમજી લેવું. ચિત્ર ૧૦૦ શ્રીઆદીશ્વરનું નિર્વાણુ. જીએ ચિત્ર ૧૧૨નું આ જ ચિત્રને લગતું વર્ણન. ચિત્ર ૧૦૧ પ્રભુ મહાવીરના અગિયાર ગણુધરે. ઇડરની પ્રતના પુત્ર ૮૦ ઉપરથી આ ચિત્ર અત્રે રજુ કરેલું છે. આખુંએ ચિત્ર સેાનાની શાહીથી ચીતરેલું છે તેનાં નામે નીચે પ્રમાણે છે. ૧ દ્રિભૂતિ (ગૌતમસ્વામી) ૨ અગ્નિભૂતિ ૩ વાયુભૂતિ ૪ વ્યક્ત ૫ સુધર્માંસ્વામી ૬ મંડિતપુત્ર ૭ મૌર્યપુત્ર ૮ અકસ્જિત ૯ અચલભ્રાતા ૧૦ મેતાર્ય અને ૧૧ પ્રભાસ આ અગિયારે ગણુધર જ્ઞાતિએ બ્રાહ્મણ હતા. ચિત્ર ૧૦૨ ગુરુમહારાજ અને ધ્રુવસેનરાન્ત. ડરની પ્રતના પત્ર ૧૦૮ ઉપરનું આ ચિત્ર ઐતિહાસીક ષ્ટિએ ઘણું જ મહત્ત્વનું છે. શ્રીમહાવીરપ્રભુ નિર્વાણુ પામ્યા બાદ ૯૮૦ વર્ષે અને મતાંતરે ૯૩ વર્ષે આનંદપુર (હાલનું વડનગર)નગરમાં આ કલ્પસૂત્ર સૌ પહેલવહેલું સભા સમક્ષ વંચાયું. એ વિષે એવી હકીકત પ્રચલિત છે કે આનંદપુરમાં ધ્રુવમેન નામે રાજા રાજ્ય કરતા હતા તેને સનાંગજ નામના એકના એક અત્યંત પ્રિય પુત્ર હતા. પુત્રનું એકાએક મૃત્યુ નીપજવાથી ધ્રુવસેનરાન્તને બેહદ સંતાપ ઉત્પન્ન થયા. તે સંતાપને લીધે તેણે બહાર જવા-આવવાનું માંડી વાળ્યુ, તે એટલે સુધી કે ધર્મશાળામાં કોઇ ગુરુ કે મુનિમહારાજ સમિપે જવાના પણ તેને ઉત્સાહ ન થાય. એટલામા પર્યુષણ પર્વ આવ્યું. રાખને અત્યંત શાક સંતપ્ત થએલા સાંભળી ગુરુમહારાજ રાજા પાસે ગયા અને ત્યાં સંસારની અસારતા તથા શાકની વ્યર્થતા અસરકારક રીતે સમજાવી. તે પછી વિશેષમાં ગુરુમહારાજે કહ્યું કેઃ તમે ખેદને પરિહરી આ પર્યુષણા પર્વના ધર્મશાળામાંઉપાશ્રયમા આવા તા શ્રીભદ્રબાહુસ્વામીજીએ ઉદ્દરેલું કલ્પસૂત્ર તમને સંભળાવું, તે કલ્પસૂત્ર શ્રવણુના પ્રતાપે તમારા આત્મા અને મનની દશામાં જરૂર ઘણા સુધારા થશે.' રાજા ગુરુજીની આજ્ઞાને માન આ સભા સહિત ઉપાશ્રયમાં આવ્યા અને ગુસ્જીએ પણ વિધિપૂર્વક સર્વ સભા સમક્ષ કલ્પસૂત્ર વાચી સંભળાવ્યું. તે દિવસથી સભા સમક્ષ કલ્પસૂત્ર વાંચવાની પ્રવૃત્તિ શરૂ થઇ. ચિત્રમાં સિંહાસન ઉપર ગુમહારાજ બેઠા છે પાછળ એક શિષ્ય કપરું ઉંચુ એક હાથે રાખીને ગુરુની સુશ્રુષા કરતા ઉભેા છે, ઉપરના ભાગમા સ્થાપનાચાર્યજી છે, ગુરુની સામે ખે હાથની એંજલે તેડીને હાથમાં ઉત્તરાગંગના ઇંડા લ ધ્રુવમેન રાજા ઉપદેશ શ્રવણ કરતા મોઢે છે, ગુરુ
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy