SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ मूलम्-किमणेण भो ! जण करिरसामिति मन्नमाणे एवं गे मायारं पियरं दिसा न यो य परिग्गरं वीरायमाणा समुट्टए अविधिमा सुव्यया दंता परस दीणे उप्पइए पडिश्यमाणे वसट्टा कायन जणा लूसगा भवंति, अहमेगेसिं सिलीए पाए भवइ से समणो भक्त्तिा मिभंते पासहेगे समन्गिएहिं सह असमनागए नममाणे अनममाणे घिरपईि अधिरप दधिपहिं अदविय अभिल सिच्चा पंडिए मेहावी बिटिय ठे धीरे आगमैणं सया पडिक्कमिकमाति त्ति बेमि ॥ सू. २३९ ।। અર્થ :- હે શિષ્ય, “આ માણસો (સ્વજન) દ્વારા મને શું કલ્યાણ પ્રાપ્તિ થઈ શકે ?” એમ વિચારીને એવી માન્યતા વડે એ પ્રમાણે જાણીને કેટલાક પુરુષો માતાપિતાને, જ્ઞાતિજનેને અને મિલકતને તજીને વીર પુરુષોનું આચરણ સ્વીકારતા, તત્પર થઈને, હિસારહિત સારી રીતે વ્રતશીલ અને ઈદ્રિને દમનારા થાય છે. પછીથી હે શિષ્ય, તું છે કે તે જ પુરુષ (દુષ્ટના સહવાસથી અથવા કર્મોદયથી) દીન બની જાય છે, માર્ગભ્રષ્ટ થાય છે અને પતિત થાય છે. આવા કામવશ બનીને પીડા પામેલા. કાયર પુરુષો તેને ભૂંસી નાખનારા બને છે. હવે કેટલાક વ્રત ભાંગનારની કીર્તિ અપકીર્તિ રૂપ હોય છે. તે શ્રમણ થઈને પછી ભ્રાતિમાં રહેલો છે, બ્રાતિમાં પડેલો છે. (આ પ્રમાણે) હે શિષ્ય, તમે જુઓ કે કેટલાક પુરુષો સંયમ આરાધકોની સાથે વિરોધક થઈને રહે છે, આચાર્યોને નમનારાઓની સાથે નમ્યા વગરના થઈને રહે છે, દોષોથી વિમેલાઓની સાથે જ વિરત થઈને રહે છે અને એગ્ય પુરુષોની સાથે તે અગ્ય બનીને રહે છે. માટે હે શિષ્ય, તમારે પંડિત, બુદ્ધિમાન અને મોક્ષાથી વીર પુરુષોને સમાગમ પામીને હમેશાં શાસ્ત્ર પ્રમાણે પરાક્રમ કરવું જોઈએ, એમ હું કહું છું. ઈતિ ચેશે ઉદ્દેશક પૂરો ધૂત નામના છઠ્ઠા અધ્યયનને પાંચમો ઉદ્દેશક આગળના ઉદેશકમાં વિશુદ્ધિ માટે સંતોની સેવા અને અહંકારનો ત્યાગ બતાવ્યા છે. આ ઉદ્દેશકમાં નિર્વાણના સ્વરૂપને કેવી રીતે ચિત્તમાં ધારવું એ બતાવવા માટે મૃદુપણું, * લઘુપણું અર્થાત નિષ્પરિગ્રહીપણું તેમજ આગમ મર્યાદા પર દઢ રહેવાથી મોક્ષ થ ય, એમ જણાવ્યું છે. પ્રસિદ્ધ એવા કંચન ને કામિનીને ત્યાગીને સંયમરત અને આત્મરત બનવા માટે પૂર્વકાળમાં લુખા દેખાતા સંયમથી ગભરાઈ ન જવું, એ ઉપદેશ કરીને સામો કાઠે હવે દૂર નથી એ સાધકને અહિ ભગવંત ભરેસે આપે છે. मूतम्-मे गिहेसु वा गिहतरेसु बा, गामेसु वा गामंत रेसु घा नगरेसु वा नगरंतरेसु घा, जणषपसु या जणप्रयंतरेसु धा, गामनयरंतरे वा गामजण यंतरे या नगरजणवयंतरे या संतेगाया जणा लुलगा भवंति अदुवा फासा फुसं ति ते फासे पुढे वीरो अहियात / ૨૯. I અર્થ –તે મુનિ, ઘરોની પાસે હોય કે ઘરની અંદર હય, ગામ ની અંદર હોય કે ગામોની પાસે હોય, નગરની અંદર હોય કે નગરની પાસે હોય, જનપદમાં હોય કે જનપદની પાસે હેય, ગામ કે નગરની પાસે હોય કે ગમ અને જનપદની વચ્ચે હોય, અથવા નગર અને
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy