SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮] जैन साहित्य संशोधक [खंड ३ મસ્કરીઓમાંને હોય એમ જણાય છે. આ હલકા પ્રકારના ભિક્ષના પ્રાચીન ભારત વિષેના અસ્તિત્વની લોકમાન્યતાને Folk-lore એક વિચિત્ર ટ્રક સાક્ષી પુરે છે, એ તિત્તિર૧૧ જાતકમાં આવે છે. બૌદ્ધ જાતકમાં આવતાં પદોમાં પ્રાચીનમાં પ્રાચીન-ખુદ બૌદ્ધ ધર્મ કરતાં પણ ઘણા પ્રાચીન–સમયની લોકમાન્યતાઓ સમાયેલી છે. એ નાતજ ના બારમાં અને તેરમા પદોમાં હલકા પ્રકારના એક ભિક્ષને અન્ય વસ્તુઓ સાથે એક વાસડ (તારા) રાખ વર્ણવ્યો છે, જે બતાવે છે કે એ એકદંડી વા મસ્કરીના નામથી ઓળખાતા ભિક્ષુવર્ગને મનુષ્ય હોવો જોઈએ. પરંતુ આ બાતમીને વિશિષ્ટ અર્થ અર્પનાર તો એ છે કે ઘણા પાછળના સમયનું એના ઉપરનું ભાષ્ય એ ભિક્ષને આજીવિક તરીકે ઓળખાવે છે. સ્પષ્ટ છે કે બૌદ્ધોના મુખમાં “ આજીવિક' એ અધમ પ્રકારના મસ્કરિન વા એકદંડિનને લાગુ પડતો ઠપકાનો શબ્દ હતો. બૌદ્ધો અને જૈન બને ગોસાલને મંખલી અને આજીવિકાનો આગેવાન શા કારણે કહે છે એ આથી સમજાતું જણાય છે; અને ઘણો સંભવ છે કે એ પિતે જ મેખલી હતો એટલું જ નહિ પણ જૈને કહે છે એમ મખલીને અનૌરસ પુત્ર હતો. મહાવીર સાથે સંબંધ બાંધવામાં ગોસાલ શા હેતુથી પ્રેરાય હતે એ નક્કી કરવું મુશ્કેલ છે. એમ હાય કે એ ધર્મોત્સાહીના સંબધથી ગેસની પ્રકૃતિની શુભતર વૃત્તિઓ અલ્પકાળ માટે જાગૃત થઈ હતી: વા, જૈન વૃત્તાંત્ત સૂચવે છે એમ “પતાના વેપારની’ વધુ પ્રબળ “ કળીઓ' મહાવીર પાસેથી શીખવાની મળશે એવી પણ એણે આશા રાખી હોય. પ્રથમ વિકલ્પાનુસાર મહાવીરના સંસર્ગની એના ઉપર કેઈ કાયમી અસર ન પડી. ગોસાલે પિતાને મઠ કુંભારણના મકાનમાં થાપ્યો હતો એ જૈન લખાણ વિષે ગંભીરપણે પ્રશ્ન ઉઠાવવાનું કોઈ કારણ જણાતું નથી. ધાર્મિક ભિક્ષુઓના કડકમાં કડક નિયમોમાંના એકની આ ઉઘાડી અવજ્ઞા બુદ્ધની ગોસાલ વિષેની સુપ્રસિદ્ધ જુગુસાથી દઇ પ્રમાણ થાય છે એ જોતાં ગેસલના જીવનના અંતિમ દશ્યમાં નિઃશંક કૈક કરૂણ છે. એના પોતાના શિષ્ય અને ગામલેકની મેંઢાઢ મહાવીરે ઉઘાડાં પાડેલાં એનાં કલંકો અને એથી નીપજેલું એનું ગાંડપણ તથા અંતકાળ વખતનો એને ક્ષણિક પશ્ચાત્તાપ કરૂણ છે. પરંતુ દયાની એ લાગણીના માપનો = ગેસલના યથાર્થ ચારિત્ર્ય વિષે આપણે કેવો અભિપ્રાય બાંધેલો છે એના ઉપર છે. ભગવતીસૂત્ર૨ લખે છે કે મહાવીર ગેસાલ પછી સોળ વર્ષ સુધી જીવ્યા. એમાં એમ પણ લખ્યું છે કે એક અસાધારણ હાથીના૧૩ કબજા માટે વૈશાલીના રાજા ચેડગ સાથે મગધના રાજ કુણીય (અજાતશત્રએ ) કરેલો વિગ્રહ ગેલાલના મૃત્યુનો સમકાલીન હતા. આ બે લખાણો:ઉપરથી ગોસાલના મરણના વર્ષને આશરે નક્કી કરી શકાય. મૃતપરંપરા પ્રમાણે મહાવીરના અવસાનનું વર્ષ ઈ. સ. પૂર્વ પર છે. આ પ્રમાણે ગસાલના મરણની સાલ ઈ. સ. પૂર્વે ૫૪૩ ની આવશે. પરંતુ એ સાલ ખરૂં પૂછો તે અતિ પૂર્વકાલીન છે. ઉપર્યુક્ત હાથી મગધના રાજા સેશીય (બિંબિસાર) તરફથી પોતાના પાટવી પુત્ર કુણીયના ચઢીઆતા દાવાની અવના કરીને કનિષ્ઠ પુત્ર વેહલને અપાયો હતો. એ નિશ્ચિત છે એમ માની શકાય કે એ હાથીના કwજા માટે વિગ્રહની શરૂઆત કરવા કુગીય પિતાના રાજસત્તાપ્રવેશની જ વાટ જોતો હતો. હવે, ધીમા ભુખમરાથી કુણીયે પોતાના પિતાને ઘાત કર્યો ત્યાર પહેલાં કેટલાંક વર્ષોથી એણે એને ગાદી સોંપી દીધી હતી. આ ઘાત ઈ. સ. પૂર્વે ૪૯૦ માં વા બુદ્ધના નિર્વાણની આઠ વર્ષ પહેલાં થયે; કારણ, હવે વ્યવહારિક રીતે નક્કી છે એ પ્રમાણે, એ બનાવ ( નિર્વાણ ) ઈ. સ. પૂર્વે ૪૮૨ માં બન્યો. મહાવીર બુદ્ધ કરતાં કેટલાક સમય-કેટલા લાંબા તે જણાવેલ નથી–પૂર્વે નિર્વાણ પામ્યા. પરંતુ ગેસાલ મહાવીર પૂર્વે સોળમા વર્ષમાં- વિના વર્ષમાં ગુજરી ગયા અને એ વિગ્રહ કુણીય ૧ જા. ૩. ૫૪૨ માં નં. ૪૩૮, ૧૨ પૃ. Fol. ૧૨૫૦ ૩, ૧૨૬૯ ; ૧૩ ૧, ૬, પરિશિષ્ટ ૧ પૃ. ૭ Aho! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy