SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ AAAAAAAAAAAAAAAAAA ૨] અધ્યાપક કોલ લિખિત [ ખંડ ૨ ઈન્સ્ટીટ્યુશન્સ' નામના લેખમાં તેને જ મુખ્ય ગણી છે. વરરૂચિના પ્રાકૃત પ્રકાશમાં પ્રથમ નવ પ્રકરણમાં તેનું વ્યાકરણ આપવામાં આવ્યું છે, અને બાકીનાં ત્રણ પ્રકરણમાં બાકીની ત્રણ ભાષાએની વિશિષ્ટતા જણાવી છે. મૃચ્છકટિક નાટકમાં પ્રાકૃત ભાષાઓનું એક વિચિત્ર મંડળ ભેગું કરવામાં આવેલું છે જેથી કરીને તે નાટક ઉપગી પ્રાકૃત રૂપની ખાણ બન્યું છે. વળી, વિક્રમોર્વશીના ચોથા અંકમાં પુરુરવા રાજાના આત્મપ્રલાપની ભાષા તદ્દન ભિન્ન જ છે, અને એક જાતની કાવ્યમાં વપરાતી અપભ્રંશ ભાષા છે, જેને આધુનિક વૈયાકરણે મળ પ્રાકૃતથી, ઘણુંજ જુદી ગણે છે. આ અપવાદ સિવાય સંસ્કૃત નાટકમાં–ગદ્યમાં શૈરસેની, અને પદ્યમાં મહારાષ્ટ્રી,- સાધારણ પ્રાકૃત જ વ૫રાય છે. આ બન્ને માટેના નિયમો સરખાજ છે, પરંતુ ગદ્યમાં વપરાતી ભાષા કેવળ વ્યંજન ઉડાડી દેવામાં થોડી છૂટ લે છે, તથા ધાતુ અને પ્રાતિપદિકનાં કેટલાંક રૂપ તેનાં પિતાનાં ખાસ હોય છે, જે નીચે જણાવવામાં આવશે. તે પણ નાટકની ભાષા, ખાસ કરીને ગદ્યમાં, વરરૂચિના નિયમથી ઘણું વાર વિરૂદ્ધ જાય છે. આ લઘુ વ્યાકરણ નાટકમાં વપરાતી સાધારણ પ્રાકૃત માટે ખાસ કરીને બનાવવામાં આવ્યું છે. ખરેખર, અત્યાર સુધી પદ્યાત્મક પ્રાકૃતનાં ઘણું ઉદાહરણે જાણવામાં ન હતાં; ફક્ત નાટકમાં તથા અલંકારના ગ્રંથમાં આવેલાં પ્રાકૃત પદ્યનાં ચેડાંક નમુનાઓ જણાયા હતા પણ છે. વેબરે હાલકવિના સપ્તશતકનો કેટલોક ભાગ છપાવ્યું છે જેને લીધે મહારાષ્ટ્ર ભાષાનું મેટું ક્ષેત્ર ખુલ્લું થયું છે. તે કાવ્યમાં પ્રાકૃતના અભ્યાસને માટે ઘણી ઉપયોગી એવી આય એ છે પરંતુ મારા પ્રસ્તુત કાર્ય માટે તે બહુ ઉપયોગી નહિ હોવાથી મેં આ લેખમાં તેમને ઉપગ બહુજ થે કર્યો છે. તે પણ પરિશિષ્ટમાં હાલકવિની દશેક આયાઓ મેં આપી છે. વિભાગ ૧ લભભગ સર્વથા સંસ્કૃત શબ્દમાં કેટલાક ફેરફાર કરીને અને કેટલાક અક્ષરો ઉડાડીને પ્રાકૃત રૂપે સિદ્ધ થયાં છે. સંસ્કૃતના અણીશુદ્ધ ઉચારને બદલે પ્રાકૃતમાં અસ્પષ્ટ અને અધઉચ્ચાર કરવામાં આવે છે, તથા સંસ્કૃત ભાષાના સ્વભાવની વિરૂદ્ધ જઈને વારંવાર વરસમુહને બાધ કરવામાં આવે છે. નીચેના પ્રકરણમાં, પ્રથમ તે શબ્દના અક્ષરોમાં થતા ફેરફાર વિષે અને, પછીથી, પ્રાતિપાદિક અને ધાતુઓનાં રૂપમાં થતા ફેરફાર વિષે વિવેચન કરીશું. સ્વર પ્રકરણ પ્રાકૃતમાં , , , છે, સિવાયના બધા સ્તરે સંસ્કૃત પ્રમાણે છે. કઈ શબ્દમાં પ્રથમ અક્ષર હોય તે તેને રિ થાય છે, જેમ કે ને બદલે ;િ કેટલીક વાર ની પહેલાં વ્યંજન હોય તે તે વ્યંજનને લેપ કરવામાં આવે છે, જેમ કે પારિવા. જે આની પહેલાં વ્યંજન આવ્યું હોય તે અનેક અથવા થાય છે, અને જે તે વ્યંજન ઓષ્ટસ્થાનીય હોય તે ને ૩ થાય છે, જેમ કે સુખ-સ, ત–જામ, –વિદિ, મા, પૃથવી-પુત્રી, પ્રવૃત્તિ-પત્તિ. પરંતુ આવા ફેરફાર શબ્દના પ્રથમાક્ષર માં ભાગ્યે જ થાય છે, તે પણ લિ ( ), (g), ૩૬ (7). ૧. શાન્સના ચોથા અંકમાં ધીવર માગધી ભાષાનો ઉપયોગ કરે છે, તેમજ મુઘલત માં કેટલાંક પાત્રે નિકૃષ્ટ ભાષા વાપરે છે. . . પચ્ચેલે શિરસેનીવિષે કન્ડના બીટેજ ૩૦૮ માં વિવેચન કર્યું છે. પરંતુ તેમના કેટલાક નિયે અનિશ્ચિત છે. Aho I Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy