SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ (જુનામાં જુની) હેવા છતાં ખંડિત અને અસ્તવ્યસ્ત પાઠોવાળી હોવા ઉપરાંત ઘણી જ અશુદ્ધ હેવાથી તેને મેં મૌલિક તરીકે સ્વીકારવી પસંદ કરી નથી. મલિક આદર્શ તરીકે તે મેં ઉજમબાની ધર્મશાલાના શ્રીમૂલચંદજી મહારાજના જ્ઞાનભંડારની પ્રતિને જ સ્વીકારી છે. એ પ્રતિ ઉપરથી સ્વતંત્ર નવી પ્રસકેપી કરાવીને નવેસર અક્ષરશઃ ઉપરોક્ત પ્રતિઓ સાથે સરખાવીને તૂટતા પાઠની પૂત્તિ, અશુદ્ધિઓનું પરિમાર્જન અને પાઠભેદની નોંધ કરવામાં આવી છે. આ ઉપરથી વિદ્વાનો એ સમજી જશે કે તેમના હાથમાં વિદ્યમાને પ્રસ્તુત કલ્પસૂત્ર, એક પ્રાચીન પ્રતિનું સંપૂર્ણ એકધારું સ્વરૂપ છે. કલ્પસૂત્રની પ્રતિઓનું સ્વરૂપ ભાષા અને મોલિક પાઠ-આજે આપણા સામે કલ્પસૂત્રની જે પ્રાચીન તાડપત્રીય કે કાગળની પ્રતિએ વિદ્યમાન છે, તેમાં વિક્રમના તેરમા સૈકા પહેલાંની એક પણ પ્રતિ નથી. તેમાં પણ ખંભાતના શ્રી શાંતિનાથજીના પ્રાચીન તાડપત્રીય ભંડારની એક પ્રતિ, કે જે વિક્રમ સંવત ૧૨૪૭માં લખાયેલી છે, તેને બાદ કરતાં બાકીની બધીય પ્રતિઓ વિક્રમના ચોદમાં અને પંદરમા સૈકાની અને મોટા ભાગની પ્રતિઓ તે પછીના સમયમાં લખાયેલી છે. આ બધી પ્રતિઓમાં ભાષાષ્ટિએ અને પાઠોની દૃષ્ટિએ ઘણું ઘણું સમવિષમપણું છે, અને પછી ગયેલા પાઠે, ઓછાવત્તા પાકો તેમ જ અશુદ્ધ પઠની પરંપરા વિષે તે પૂછવાનું જ શું હોય? આજે આપણું માટે તદુઃખની વાત જ એ છે કે-જેસલમેરદુર્ગના ખતરગચ્છીય યુગપ્રધાનપ્રવર આચાર્યશ્રીજિનભદ્રસૂરિના પ્રાચીનતમ જૈન જ્ઞાનભંડારમાંથી મળી આવેલ અનુમાન દશમાં સૈકાની આસપાસમાં લખાયેલી વિશેષાવશ્યક મહાભાષ્યની પ્રતિ જેવા કે રડ્યાખડયા અપવાદ સિવાય, કે ૫ણ જૈન આગમની મૌલિક પ્રાચીન કે અર્વાચીન સાવંત સાંગોપાંગ અખંડ શુદ્ધ પ્રતિ એક પણ આપણુ સમક્ષ નથી. તેમ જ ચૂર્ણિકાર ટીકાકાર આદિએ કેવા કાઠે કે આદર્શને અપનાવ્યા હતા એ દર્શાવનાર આદર્શો-પ્રતિએ પણ આપણા સામે નથી. આ કારણસર કપસૂત્રની મોલિક ભાષા ને તેના મોલિક પાઠાના સ્વરૂપને નિર્ણય કરશે આપણા માટે અતિદુષ્કર વસ્તુ છે. અને એ જ કારણને લીધે આજના દેશી-પરદેશી ભાષાશાસ્ત્ર વિદ્વાનોએ આજની અતિઆચીન હસ્તપ્રતિઓના આધારે જન આગમોની ભાષાવિષે જે કેટલાક નિર્ણ બાંધેલા છે કે આપેલા છે એ માન્ય કરી શકાય તેવા નથી. જર્મન વિદ્વાન ડૉ. એલ. આસડોર્ફ મહાશય ચાલુ વર્ષમાં જેસલમેર આવ્યા ત્યારે તેમની સાથે આ વિષેની ચર્ચા થતાં, તેમણે પણ આ વાતને માન્ય રાખીને જણાવ્યું હતું કે “આ વિષે પુનઃ ગંભીર વિચાર કરવાની જરૂરત છે.” આ પરિસ્થિતિમાં કલ્પસૂત્રની મૌલિક ભાષા અને તેના મૌલિક પાઠની ચિન્તાને જતી કરીને, માત્ર એની અત્યારે મળી શક્તી પ્રાચીન પ્રતિઓ અને ચૂર્ણ, ટિપ્પનક, ટીકાકાર વગેરેને આશ્રય લઈ મૌલિક પાઠોની નજીકમાં આવી શકે તેવી આવૃત્તિ તૈયાર કરવા પ્રયત્ન કર્યો છે અને તે સાથે વિવિધ પાઠભેદે અને પ્રત્યુત્તરની નેધ પણ તે તે "Aho Shrut Gyanam
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy