________________
१९
દરીયાપુરી સ`પ્રદાયના પડિત રત્ન ભાઈચંદજી મહારાજના અભિપ્રાય
શ્રી
રાણપુર તા. ૧૯-૧૨-૧૯૫૫
પૂજ્યપાદ જ્ઞાનપ્રવર પતિરત્ન ધૃત્ય શ્રી ઘાસીલાલજી મહારાજ આદિમુનિવરોની સેવામાં. આપ સર્વાં સુખ સમાધીમાં હશે.
સૂત્ર પ્રકાશનનું કામ સુંદર થઇ રહ્યું છે તે જાણી અત્યંત આનંદ. આપના પ્રકાશીત થયેલાં કેટલાંક સૂત્ર જોયાં. સુદર અને સરલ સિદ્ધાંતના ન્યાયને પુષ્ટિ કરતી ટીકા પંડિતરત્નને સુપ્રિય થઇ પડે તેવી છે. સૂત્ર પ્રકાશનનું કામ ત્વરિત પૂર્ણ થાય અને ભાવિ આત્માઓને આત્મકલ્યાણુ કરવામાં સાધનભૂત થાય એજ અભ્યર્થના.
લી. પંડિતરત્ન માળબ્રહ્મચારી પૂ. શ્રી ભાઇચંદ્ર મહારાજની આજ્ઞાનુસાર શાન્તિમુનીના પાયવદન સ્વીકારશે,
તા. ૩૧-૫-૫૬
વીરમગામ
ગચ્છાધિપતિ પૂજ્ય મહારાજ શ્રી જ્ઞાનચંદ્રજી મહારાજના સંપ્રદાયના આત્માથી, ક્રિયાપાત્ર, પંડિતરત્ન, મુનિશ્રી સમરથમલજી મહારાજને અભિપ્રાય.
ખીચનથી આવેલ તા. ૧૧-૨-૫૬ના પત્રથી ધ્રિત.
પૂજ્ય આચાર્ય ઘાસીલાલજી મહારાજના હસ્તક જે સૂત્રાનું લખાણ સુંદર અને સરળ ભાષામાં થાય છે. તે સાહિત્ય પંડિત મુનિશ્રી સમરથમલજી મહારાજ, સમય એછા મળવાને કારણે સંપૂર્ણ જોઇ શકયા નથી. છતાં જેટલું સાહિત્ય જોયુ છે, તે બહુ જ સારૂ અને મનન સાથે લખાયેલું છે. તે લખાણુ શાસ્ત્ર આજ્ઞાને અનુરૂપ લાગે છે. આ સાહિત્ય દરેક શ્રદ્ધાળુ જીવાને વાંચવા ચેાગ્ય છે. આમાં સ્થાનકવાસી સમાજની શ્રદ્ધા, પ્રરુપણા અને ફ્રસણાની દૃઢતા શાસ્ત્રાનુકુળ છે. આચાર્ય શ્રી અપૂર્વ પશ્રિમ લઇ સમાજ ઉપર મહાન ઉપકાર કરે છે,
લી. કીશનલાલ પૃથ્વીરાજ માલુ મુ. ખાચન.
*