SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ લીબડી સંપ્રદાયના સદાનદી મુનિશ્રી છોટાલાલજી મહારાજને અભિપ્રાય શ્રી વીતરાગદેવે, જ્ઞાનપ્રચારને તીર્થંકરના ગોત્ર બાધવાનું નિમિત્ત કહેલ છે જ્ઞાનપ્રચાર કરનાર, કરવામાં સહાય કરનાર અને તેને અનુદાન આપનાર જ્ઞાનાવરણીય કર્મને લય કરી, કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી પરમપદના અધિકારી બને છે શાસ્ત્રજ્ઞ, પરમશાન્ત અને અપ્રમાદી પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ પોતે અવિશ્રાન્તપણે જ્ઞાનની ઉપાસના અને તેની પ્રભાવના અનેક વિકટ પ્રસ ગેમાં પણ કરી રહ્યા છે તે માટે તેઓશ્રી અનેકશિ ધન્યવાદના અધિકારી છે, વદનીય છે તેમની જ્ઞાનપ્રભાવનાની ધગશ ઘણા પ્રમાદિઓને અનુકરણીય છે જેમ પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ પિતે જ્ઞાનપ્રચાર માટે અવિશ્રાન્ત પ્રયત્ન કરે છે તેમજશાસ્ત્રોદ્ધાર સમિતિના કાર્યવાહકે પણ એમાં સહાય કરીને જે પવિત્ર સેવા કરી રહેલ છે તે પણ ખરેખર ધન્યવાદના પૂર્ણ અધિકારી છે એ સમિતિના કાર્યકરોને મારી એક સૂચના છે કે – શાસ્ત્રોદ્ધારક પ્રવર પડિત અપ્રમાદી સ ત ઘાસીલાલજી મહારાજ જે શાસ્ત્રોદ્ધારનું કામ કરી રહેલ છે, તેમાં સહાય કરવા માટે-પડિતે વિગેરેના માટે જે ખર્ચો થઈ રહેલ છે તેને પહેચી વળવા માટે સારૂ-સરખુ ફડ જોઈએ એના માટે મારી એ સૂચના છે કે – શાસ્ત્રોદ્ધારસમિતિના મુખ્ય કાર્યવાહકે, જે બની શકે તે પ્રમુખ પિતે અને બીજા બે ત્રણ જણાએ, ગુજરાત, નૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રવાસ કરી મેમ્બરે બનાવે અને આર્થિક સહાય મેળવે જે કે અત્યારની પરિસ્થિતિ વિષમ છે વ્યાપારીઓ, ધ ધાદારીઓને પોતાના વ્યવહાર સાચવવા પણ મુશ્કેલ બન્યા છે છતા જે સભાવિત ગૃહ પ્રવાસે નીકળે તો જરૂર કાર્ય સફળ કરે એવી મને શ્રદ્ધા છે આર્થિક અનુકૂળતા થવાથી શાસ્ત્રોદ્ધારનું કામ પણ વધુ સરલતાથી થઈ શકે પૂજ્યશ્રી શામીલાલજી મહારાજ જ્યા સુધી આ તરફ વિચરે છે ત્યા સુધીમાં એમની જ્ઞાનશકિતને જેટલો લાભ લેવાય તેટલો લઈ લે કદાચ સૌરાષ્ટ્રમાં વધુ વખત રહેવાથી તેમને હવે બહાર વિહરવાની ઈચ્છા થતી હોય તે શાન્તિભાઈ શેઠ જેવાએ અમદાવાદ પધરાવવા માટે વિનતી કરવી, અને ત્યાં અનુકૂળતા મુજબ બે-ત્રણ વર્ષની સ્થિરતા કરાવીને તેમની પાસે શાસ્ત્રોદ્ધારનું કામ પૂર્ણ કરાવી લેવું જોઈએ છેડા વખતમાં જામજોધપુરમાં શાસોદ્ધાર કમિટી મળવાની છે તે વખતે ઉપરની સૂચના વિચારાય તે ઠીક
SR No.009334
Book TitleAuppatiksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages868
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aupapatik
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy