SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ નિક્ષેપણ નામની ચોથી સમિતિ કહેવાય છે. આદાન એટલે લેવું, નિક્ષેપણ એટલે મૂકવામાં, સમિતિ એટલે માપસર ઉપયોગ રાખી પ્રવર્તવું એવો અર્થ છે. પારકા. સ્વરૂપ-ભજન આદાન સાચું, નિક્ષેપણ પર ભાવો; સાથક વસ્તુ રાગ વિના લે, બાઘક દે ને અભાવો. હો ભક્ત અર્થ :- પોતાના આત્મસ્વરૂપનું રટણ કરવું એ જ સાચું આદાન એટલે ગ્રહણ છે. અને પરભાવોને મૂકવા એ જ સાચું નિક્ષેપણ અર્થાત ત્યાગ છે. સાધનામાં ઉપયોગી વસ્તુને મુનિ રાગ વિના ગ્રહણ કરે અને તેમાં કોઈ બાઘા પહોંચાડે તેના પ્રત્યે પણ અભાવ કરતા નથી. રક્ષા આજ્ઞા આપી છે તે રીતે જર્ફેર પડ્યે લે મૂકે, આજ્ઞાના ઉપયોગપૂર્વક સમિતિ ચોથી ન ચૂકે. હો ભક્ત અર્થ – જેમ ભગવાને આજ્ઞા આપી છે તેમ જરૂર પડ્યે વસ્તુને લે અથવા મૂકે છે. એમ આજ્ઞાના ઉપયોગપૂર્વક પ્રવર્તી ચોથી આદાન-નિક્ષેપણ નામની સમિતિને મુનિ ચૂકતા નથી. સોમિલ બ્રાહ્મણનું દ્રષ્ટાંત – સોમિલ નામના બ્રાહ્મણે દીક્ષા લીધી. બીજા ગામે વિહાર કરવાના હેતુથી શ્રી ગુરુએ પાત્રાદિની પડિલેહણા કરવા કહ્યું. સોમિલે તે કરી. કોઈ કારણથી વિહાર ગુરુએ કર્યો નહીં. તેથી સોમિલને ફરી પાત્રાદિની પ્રમાર્જના કરી તેના સ્થાને મૂકવા શ્રી ગુરુએ જણાવ્યું ત્યારે સોમિલ કહે હમણાં જ પડિલેહણા કરી છે કે, શું પાત્રાદિમાં સર્પ પેસી ગયો? તેના અયોગ્ય વર્તનથી શાસનદેવતાએ પાત્રામાં સર્પ વિફર્યો. તેથી ભય પામી શિષ્ય ગુરુ પાસે આવી તેની ક્ષમા માગી. -ઉ.પ્રા.ભા. ભાગ-૪ના આઘારે. ૨૮ ૫. ઉત્સર્ગ-સમિતિ અવરજવર જ્યાં હોય ન જનનો ત્યાં ત્યાગે યત્નાથી, જીવરહિત જગ્યા નિહાળી, લીંટ, મૂત્ર, મળ આદિ. હો ભક્ત અર્થ :- જ્યાં લોકોની અવરજવર હોય નહીં ત્યાં જીવરહિત જગ્યા જોઈ પોતાની લીંટ, મૂત્ર કે મળ આદિનો યત્નાપૂર્વક ત્યાગ કરવો તેને ઉત્સર્ગ-સમિતિ કહેવાય છે. પુરા ઉત્સર્ગ સમિતિ કહી સંક્ષેપે, રોકે જ્યાં નહિ કોઈ, રાત્રે પ્રથમ દીઠેલે સ્થાને, હાથ ફેરવી જોઈ. હો ભક્ત અર્થ :- ઉત્સર્ગ સમિતિને અત્રે સંક્ષેપમાં જણાવી છે. જ્યાં આપણને કોઈ રોકે નહીં તે સ્થાને મળનો ઉત્સર્ગ એટલે ત્યાગ કરવો. રાત્રે પણ પ્રથમ દિવસે જોયેલા સ્થાને મળત્યાગ કરવો અથવા હાથ ફેરવીને જોયા પછી તેમ કરવું. (૩૦ના આજ્ઞા આપી છે તે રીતે કરે દીર્ઘ-શંકાદિ, આજ્ઞાના ઉપયોગપૂર્વક મુનિ સદા અપ્રમાદી. હો ભક્ત અર્થ :- જેમ આજ્ઞા આપી છે તે રીતે મુનિ દીર્ઘશંકા લઘુશંકાદિનો તેવા તેવા સ્થાને ત્યાગ કરે. આજ્ઞાના ઉપયોગપૂર્વક વર્તનાર મુનિ સદા અપ્રમાદી રહે છે. ઘર્મરુચિ મુનિનું દ્રષ્ટાંત – એકદા ઘર્મઘોષ આચાર્યના શિષ્ય ઘર્મરુચિ મુનિ ગોચરી માટે ગયા
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy