SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ એ તો કેવળ મૂર્ખતા : કરે અનેક કુતર્ક - સ્ત્રી-પુરુષનું જોડલું સુંચવે સુખ-સંસર્ગ. ૨૦ અર્થ :- સંસારી જીવોની એ મૂર્ખતા છે. તેથી અનેક કુતર્ક કરે છે કે સ્ત્રી-પુરુષનું જોડલું થવાથી જ સુખ-સંસર્ગ પ્રાપ્ત થાય. ૨૦ાા. મોહ-મદિરા છાક એ; “સર્વ ન મુક્તિયોગ્ય જૈન-વચન સુણ્યું હતું; મોક્ષ વીરને ભોગ્ય. ૨૧ અર્થ – એવી તેમની માન્યતા તે મોહરૂપી મદિરાનો છાક સૂચવે છે. સર્વ જીવો કાંઈ મુક્તિ મેળવવાને યોગ્ય થતા નથી, એવું જૈનનું એક વચન સાંભળ્યું હતું. મોક્ષ તો વીર પુરુષોને જ ભોગ્ય છે. રિલા. એમ હવે સમજાય છે : અલ્પ તજે સંસાર, એ તો દેખીતું જ છે; અલ્પ કરે ભવપાર. ૨૨ અર્થ - હવે મને એમ સમજાય છે કે અલ્પ જીવો જ સંસાર ત્યાગી શકે. એ તો દેખીતું જ છે. તેથી અલ્પ જીવો જ આ સંસારરૂપી સમુદ્રનો પાર પામી શકે એમ છે. રજા સ્ત્રી શૃંગારે લુબ્ધ જન, વિષય વિષે આસક્ત, સંતતિની વળગે ફિકર, ક્યાંથી થાયે મુક્ત? ૨૩ અર્થ :- એક સ્ત્રીના શૃંગારમાં લુબ્ધ થવાથી, પાંચેય ઇન્દ્રિયના વિષયમાં જીવ આસક્ત બને છે. તેથી સંતાન ઉત્પન્ન થાય છે. તે સંતતિને પાળવા-પોષવાની ફિકર વળગે છે. “અરે! એવી તો અનેક જંજાળોમાં જોડાવું પડે છે. ત્યારે એવા પ્રપંચમાંથી મુક્તિ કોણ સાધ્ય કરી શકવાનો હતો? પારકા હું, મારું' - અજ્ઞાનતા પોષે ભરવા પેટ, દગા-પ્રપંચ રચે ઘણા ઠગવા નોકર, શેઠ; ૨૪ અર્થ :- કુટુંબમાં મારાપણું કરવાથી અને અજ્ઞાનતાના કારણે દેહમાં અહંભાવ હોવાથી તેમના પેટ ભરવા માટે, નોકર કે શેઠ સર્વ પ્રત્યે અનેક દગા પ્રપંચ રચે છે. ૨૪ ઠગીને રાજી રાખવા, રચે જંઠી જંજાળ; ગણી આકરાં વ્યાજ ને ફ્રુટ મૅકી બને દયાળ. ૨૫ અર્થ - તેમને ઠગીને રાજી રાખવા માટે વળી જૂઠી જંજાળ રચે છે. જેમકે આકરા વ્યાજ ગણી કહે, સોળ પચ્ચા વ્યાસી અને બે મુક્યા છૂટના એમ કહી વળી પોતાની દયાળુતા બતાવે છે. સુરક્ષા બંઘન કરવા વર્તતો, મુક્તિ સાથે કેમ? પ્રપંચ બંઘન-કારી છે, જન્મ-મરણ છે એમ. ૨૬ અર્થ - આવી રીતે પ્રપંચ કરી કર્મબંઘન કરવા વર્તનાર જીવ મુક્તિને કેમ સાધી શકે? પ્રપંચ તો બંઘનકારી છે. અને તેથી જન્મ-મરણનાં દુઃખ જીવ પામે છે. ૨૬ાા. ખરો, સંસાર-ત્યાગનો મંગલમય ઉપદેશ, ભ્રમણામાં સમજાય ના; જન્માંઘને દિનેશ. ૨૭ અર્થ :- આ સંસારત્યાગનો ખરો મંગલમય ઉપદેશ છે. પણ આત્મભ્રાંતિને લઈને તે સમજાય
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy