SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ – સમ્યગ્દર્શન તે ધ્રુવતારા સમાન છે. ધ્રુવતારો હમેશાં ઉત્તરદિશામાં રહે છે. તેને લઈને બીજી બધી દિશાઓનું પણ સત્યભાન થાય છે. તેમ સમ્યગ્દર્શન સાથે જે વ્રત, નિયમ કરવામાં આવે તે બઘા સવળા છે. તે જીવને વીતરાગતા પ્રગટાવી સમભાવે વર્તન કરાવે છે. ||૧૯ાા સમ્યક્ તપ નિયમિતપણું, જો, તેથી કર્મ કપાશે રે, સહનશીલતા ને સમભાવે, મોક્ષપુર ઑવ જાશે રે. આત્મઅર્થ :- સમ્યગ્દર્શનસહિત નિયમિતપણે એટલે ક્રમપૂર્વક જીવ જો ઇચ્છાઓને ઘટાડવારૂપ તપને કરતો જ રહેશે તો તેથી બળવાન નિર્જરા થઈ સર્વ કર્મ કપાઈ જશે તથા જીવનમાં સહનશીલતા અને સમભાવને પામી તે જીવ મોક્ષરૂપી નગરમાં પહોંચી જશે. ૨૦ાા મુમુક્ષુ કોઈ નામ-થાર તે પૂછે પ્રશ્ન વિચારી રે, ઘણા બંઘથી બંધાયો છું નિયમ-અંઘ અકારી રે. આત્મઅર્થ :- કોઈ નામઘારી મુમુક્ષુ વિચારીને પ્રશ્ન પૂછે છે કે પૂર્વના અનાદિકાળના ઘણા કર્મથી હું બંઘાયેલો જ છું, તો પછી કર્મોના નિયમથી એટલે કમના સિદ્ધાંતથી નવો થતો બંઘ તે તો અમારી એટલે કોઈ કાર્યકારી નથી અર્થાત્ ફોકટ છે. કેમકે હું તો અનાદિકાળથી કર્મો વડે બંઘાયેલો જ છું, તેમાં વળી નવીન બંઘ થવાથી શું ફરક પડશે. ૨૧ આ કળિકાળે બહુ જન એવા, મનમાન્યું કરનારા રે, આત્મહિતની સમજ વિનાના, સ્વતંત્ર મત ઘરનારા રે. આત્મક અર્થ – ઉપરોક્ત પ્રમાણે માત્ર વાતો કરી આ કળિકાળે ઘણા લોકો પોતાનું મનમાન્યું કરનારા છે. તેમને પોતાના આત્માનું હિત શામાં છે તેની સમજ નથી. તેથી તેઓ સ્વતંત્ર મત એટલે પોતાની સ્વચ્છંદી માન્યતાઓને ઘરનારા છે. “સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.”-શ્રીમદ્ રાજચંદ્ર //રા પ્રથમ પદથી પૂર્ણ દશાના ભેદ ઉરે જો ઘારો રે, તો સંશય-શલ્યો નહિ સાલે; રોગ પ્રતિ ઉપચારો રે- આત્મા અર્થ – પ્રથમ પદ આત્મા છે. એ પદથી લગાવીને પૂર્ણદશારૂપ મોક્ષપદ છે તથા તે પદ પામવાને માટે છઠ્ઠ પદ તે મોક્ષનો ઉપાય છે. આ સર્વ નિયમોનું રહસ્ય ગુરુગમે જો હૃદયમાં ઘારી લઈએ તો શંકાઓ રૂપી કાંટાઓ દુઃખ આપશે નહીં. કેમકે અનેક પ્રકારની ભ્રાંતિરૂપી રોગોનો પ્રતિકાર કરવા માટે આ સાચા ઉપચારો છે. ૨૩ નીરોગીને દવા નકામી, રોગી-મન અણગમતી રે, દવા પીથાના દુખથી મહાદુખ જશે, ગણી પીવી પડતી રે. આત્મઅર્થ – સંપૂર્ણ નિરોગી એવા કેવળજ્ઞાનીઓને તો આત્મધ્યાનરૂપ ઔષઘની જરૂર નથી, કેમકે તે કૃતકૃત્યદશા છે. તથા આત્મભ્રાંતિરૂપ રોગવાળા સંસારી જીવને જિનવાણીરૂપ દવાની જરૂર હોવા છતાં તેને તે અણગમતી લાગે છે. તેને નિયમમાં રહેવું ગમતું નથી. પણ દુઃખરૂપ એવી કડવી દવા પીવાથી જ
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy