SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૧ ૪૭૯ ક્રોથ, કામ ને ઉદર-અગ્નિ ત્રણ આહુતિ તેમાં દેતા પરમ દ્વિજ, મુનિ, યતિ વનવાસી આત્મશાંતિ તેથી લેતા. ૨૭ હવે ખરેખર યજ્ઞ કેવો હોવો જોઈએ તે જણાવે છે - અર્થ - કર્મભૂમિ પ્રવર્તાવનાર બ્રહ્મારૂપ શ્રી ઋષભદેવના વેદ એટલે આગમ વિષે જીવાસ્તિકાય, અજીવાસ્તિકાય, ઘર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એવા છ દ્રવ્યોનું વર્ણન છે. ત્યાં ત્રણ પ્રકારે હુતાશન એટલે અગ્નિનું સ્વરૂપ દર્શાવેલ છે. ક્રોઘાગ્નિ, કામાગ્નિ અને ઉદરાગ્નિ. તે ત્રણે પ્રકારની અગ્નિમાં પરમ દ્વિજ એટલે બ્રહ્મમાં ચર્યા કરનારા સાચા બ્રાહ્મણ, મુનિ, યતિ અને વનવાસી યોગીઓ ત્રણ પ્રકારની આહુતિ આપીને આત્મશાંતિ પ્રાપ્ત કરતા હતા. |૨૭થા. ક્રોથાગ્નિમાં ક્ષમા-આહુતિ, વિરાગ-બલિ કામાગ્નિમાં; ઉપવાસ આહુતિ હોમે મહામુનિ ઉદરાગ્નિમાં; શરીર વેર્દી સમ, તપ અગ્નિરૂપ, ક્રોથાદિક પશુઓ ભાળો, જ્ઞાનવ્રત આત્મા યજમાન જ, સત્ય યજ્ઞ-હૅપ રૂપાળો. ૨૮ અર્થ :- હવે તે મહાપુરુષો કેવા પ્રકારની આહુતિ આપતા હતા તે જણાવે છે : ક્રોધાગ્નિમાં ક્ષમાની આહુતિ, કામાગ્નિમાં બળવાન વૈરાગ્યની આહુતિ તથા ઉદરાગ્નિમાં તે મહામુનિઓ ઉપવાસની આહુતિ હોમતા હતા. શરીરને યજ્ઞની વેદીકા સમાન જાણો. તપને અગ્નિરૂપ જાણો, ક્રોધાદિકને યજ્ઞમાં હોમવારૂપ પશુઓ જાણો. આત્મા સંબંધી જ્ઞાન મેળવવું તે વ્રત અને યજ્ઞ કરાવનાર યજમાન તે આત્મા જાણો. આ સત્યસ્વરૂપે યજ્ઞ છે અને તેને જ યજ્ઞના રૂપાળા સ્તંભ સમાન માનો. ૨૮ાા. જૅવરણારૂપ દ્વિજ-દક્ષિણા, કર્મ કાષ્ઠ, ઘી યોગ ગણો, સંયમ-વૃદ્ધિ જ્વાળા ભજૅકે, આવા યજ્ઞથી પાપ હણો. ઘર્મ-ગંગ પર પવિત્ર તીરથ બ્રહ્મચર્ય કાશી સમજો, આવા યજ્ઞ કરે ત્યાં યોગી, મનાય સત્ય સમાગમ જો. ૨૯ અર્થ :- યજ્ઞમાં જીવોની રક્ષા કરવી એ જ દ્વિજ એટલે બ્રાહ્મણની દક્ષિણા જાણો. તથા કર્મરૂપ લાકડા અને મન વચન કાયારૂપ યોગથી થતા પાપોને ઘી રૂપ જાણી યજ્ઞમાં હોમવાથી આત્મસંયમની વૃદ્ધિરૂપ જ્વાળા ભભૂકશે. આવા કર્મને કાપવારૂપ યજ્ઞ કરીને સર્વ પાપોને હણી નાખો. ઘર્મરૂપી ગંગા નદીના કિનારે પવિત્ર તીર્થ બ્રહ્મચર્યરૂપ કાશી જાણો. આવા યજ્ઞ કરે તે જ સાચા યોગી પુરુષો કહેવાય અને તેમનો સમાગમ કરવો એ જ સાચો સત્સંગ છે. ll૧૯ો. ઋષિ-આશ્રય કહીં યજ્ઞવિધિ આ, ગૃહસ્થયોગ્ય પણ વર્ણવી છે, ઉપાસકઅધ્યયને વેદે; અગ્નિ આમ જણાવી છે : તીર્થંકર-ગણઘર-કેવલઘર-તનના અંતિમ સંસ્કરણે દેવમુકુટથી પ્રદીપ્ત પૂજ્ય જે અગ્નિ ત્રિવિધ તે સુર યશે. ૩૦ અર્થ :- ઋષિમુનિઓને અનુલક્ષીને આ યજ્ઞની વિધિ જણાવી છે. ગૃહસ્થઘર્મને યોગ્ય પણ યજ્ઞવિધિ વર્ણવી છે. ભગવાને સાતમા અંગ ઉપાસક દશાંગમાં આ પ્રકારે અગ્નિ વિષે કહ્યું છે. તીર્થકર, ગણઘર અને કેવળી ભગવંતના શરીરનો અંતિમ અગ્નિ સંસ્કાર કરવા માટે દેવ ઉપરોક્ત
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy