SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ४७८ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ મિથિલાપુરીમાં જનક નૃપ હરિવંશ-શિરોમણિરૂપ હતા, આયુર્વેદિક યજ્ઞોત્સવ-અભિલાષા એક દિવસ કરતા; પૂંછે મંત્રીને, “સગર આદિએ યજ્ઞ કર્યા પૂર્વે તેવા આ યુગમાં પણ કરવા ઘારું, ઉપાય તો કેવા કેવા?” ૨૩ અર્થ - મિથિલાપુરી નગરીમાં હરિવંશમાં શિરોમણિરૂપ શ્રી જનકરાજા હતા. તેમને એક દિવસ આયુર્વેદિક યજ્ઞોત્સવ કરવાની અભિલાષા થઈ. તેથી મંત્રીને કહ્યું કે પૂર્વે સગર આદિ રાજાઓએ યજ્ઞ કર્યા છે તેવો યજ્ઞ હું પણ કરવા ઘારું છું. તો તેના માટે કેવા ઉપાય લેવા? પારકા કહે મંત્ર : “એ યજ્ઞોમાં વિધ્રો વિદ્યાઘર લોક કરે, પરાક્રમી દશરથનંદન બે તેડો તો સો વિઘ હરે.” જનક કહે: “મુજ મિત્ર-પુત્રને મળવા પણ મુજ મન તલસે, પત્ર લખીને દૂત મોકલો; મિત્ર પુત્ર બે મોકલશે.” ૨૪ અર્થ :- મંત્રીએ જવાબમાં કહ્યું કે એવા યજ્ઞોમાં વિદ્યાઘર લોકો વિદ્ધ કરે છે. પણ પરાક્રમી એવા દશરથ રાજાના બે પુત્રોને તેડો તો તે સહુ વિદ્ગોને હરવા સમર્થ છે. જનક રાજા કહે : દશરથ રાજા તો મારા મિત્ર છે. એમના પુત્રોને મળવા મારું મન પણ ઉત્સુક છે. માટે પત્ર લખીને દૂત મોકલો. જેથી મિત્ર પોતાના બેય પુત્રોને જરૂર મોકલશે. ૨૪. દશરથરાય કને દંત આવ્યો જનકરાયનો પત્ર લઈ, પત્ર વાંચી નૃપ પૂછે મંત્રી અતિશયમતિને નામ દઈ; સમજું જનનો માર્ગ કહે છે : પશુન્યજ્ઞો હિંસાકારી, દાન-પૂંજાફૅપ યજ્ઞ ઘર્મમય; હિંસા દુર્ગતિ દેનારી. ૨૫ અર્થ:- દશરથ રાજા પાસે જનકરાજાનો પત્ર લઈને દૂત આવ્યો. પત્ર વાંચીને રાજાએ અતિશયમતિ નામના મંત્રીને તે વિષે પૂછ્યું. ત્યારે મંત્રી સમજુ પુરુષોનો માર્ગ કહે છે, કે પશુને યજ્ઞોમાં હોમવા એ તો હિંસાકારી યજ્ઞ છે. પણ યજ્ઞ નિમિત્તે દાન પૂજા કરવારૂપ યજ્ઞ કરવો તે ઘર્મમય છે. હિંસા તો સદૈવ દુર્ગતિને જ આપનારી છે. ૨પા. પશુ-હિંસા કરી, માંસ-પ્રસાદી દે તે નહિ કર્દી દાન ગણો. ક્રૂર દેવદેવીની પૂજા કદી ય નહિ હિતકારી ભણો. અનાર્યજન જેવી કરણી નૃપ આર્ય-શિરોમણિ કેમ કરે? લૌકિક વેદ નહીં અવિરોધી પ્રમાણરૂપ, ન માન્ય ઠરે. ૨૬ અર્થ - પશુઓની હિંસા કરી માંસની પ્રસાદી આપવી તેને કદી દાન ગણી શકાય નહીં. ક્રૂર દેવ દેવીની પૂજા કરવી તે કદી પણ આત્માને હિતકારી હોય નહીં. અનાર્ય લોકો જેવી કરણીને આર્યોમાં શિરોમણિ એવા રાજાઓ કેમ કરે ? લૌકિક વેદ અવિરોધી નથી અને પ્રમાણરૂપ પણ નથી. માટે તે માનવા યોગ્ય ઠરતા નથી. [૨ાા કર્મભૂમિ-પ્રવર્તક બ્રહ્મા-ઋષભદેવના વેદ વિષે, ષ દ્રવ્યોનું વર્ણન છે; ત્યાં ત્રિવિથ હુતાશન આમ દીસેઃ
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy