SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) મહાવીર દેવ ભાગ-૨ ૯ ૩ અર્થ - ત્યાં ઊંચા મંદિરોની શોભાનું શું વર્ણન કરું! ત્યાંના મંદિરોની ફરકતી ધ્વજાઓ જાણે કર એટલે હાથ વડે તેડતી એટલે બોલાવતી હોય તેમ જણાતું હતું. તે જાણીને સ્વર્ગવાસી ઇન્દ્રના મનમાં જાણે મુક્તિસુખનો રસ રેડાતો હોય એમ લાગતું હતું. કેમકે તે નગરીમાં દેવ દેવી જેવા સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા પટરાણી રહેતા હતા. ત્યાં ભગવાન મહાવીરનું ગર્ભ કલ્યાણક થવાનું જાણી સૌઘર્મ ઇંદ્ર છ મહિના પહેલાથી જ ભક્તિપૂર્વક કુબેરને આદેશ આપે છે. ૧૯ો. કુબેરને કે રનવૃષ્ટિ નિત્ય વર્ષાવો ભલી, પ્રભુ ગર્ભમાં આવ્યા પ્રથમ આશ્ચર્ય સૌ કરતા વળી સુગન્ધી જળવૃષ્ટિ, કુસુમ વર્ષાવતા નૃપ-મંદિરે. મહિમા અહોહો! જગતગુરુનો નિત્ય નયનાનંદ રે!૨૦ અર્થ - સૌઘર્મેન્દ્ર કુબેરને જણાવે છે કે આ રાજા સિદ્ધાર્થના ભવનના આંગણામાં સાડા સાત કરોડની પ્રતિદિન વૃષ્ટિ કરો. પ્રભુ ગર્ભમાં આવ્યા પહેલાં જ આ રત્નોની વૃષ્ટિ જોઈને સૌ આશ્ચર્ય પામતા હતા. વળી સુગંથી જળની વૃષ્ટિ તથા કુસુમ એટલે ફૂલોની વૃષ્ટિ પણ રાજાના મહેલમાં વર્ષાવતા હતા. અહોહો! જગતગુરુનો મહિમા અપરંપાર છે કે જે નિત્ય નયનને આનન્દ આપનાર છે. ૨૦ના રે! એક દિન તે ત્રિશલા માતા સુખે રાતે જુએ આનંદદાયી સોળ સ્વપ્નો, ઉર અતિ ઊભરાતું એ. અચ્યુંતથી એવી ઇન્દ્ર ત્રિશલા માતાના ગર્ભે રહ્યા એ વાત પતિમુખથી સુણીને દંપતી રાજી થયાં. ૨૧ અર્થ :- હવે એક દિન ત્રિશલા માતાએ રાત્રે સુખપૂર્વક આનંદદાયી એવા સોળ સ્વપ્નોને દીઠા. જેથી ઉર એટલે હૃદય હર્ષથી ઉભરાઈ ગયું. બારમા અય્યત દેવલોકથી ઇન્દ્રનો જીવ ચવીને ત્રિશલા માતાના ગર્ભમાં આવીને રહ્યો છે. એજ ભગવાન મહાવીરનો જીવ છે. એવી વાત પતિમુખથી સાંભળીને બેય દંપતી ઘણા રાજી થયા. ||૧૧|| શ્રી વીર જિનના ગર્ભ-કલ્યાણક મહોત્સવ કાજ આ એકત્ર થઈને દેવ ચારે જાતિના ત્યાં આવિયા; માતા પિતાને ભક્તિથી અભિષેક કરીને પૂજિયાં, સ્મરી ગર્ભમાં પ્રભુને પ્રદક્ષિણા દઈને વંદિયાં. ૨૨ અર્થ - શ્રી વીર જિનેશ્વરના ગર્ભ કલ્યાણક મહોત્સવ કરવા ભુવન, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક એ ચારે જાતિના દેવો ત્યાં આવી ચડ્યા. ભગવાનના માતાપિતાને ભક્તિથી અભિષેક કરીને પૂજી ગર્ભમાં પ્રભુ બિરાજમાન છે એમ સ્મરી પ્રદક્ષિણા આપીને પ્રભુને વંદન કર્યા. ગારા શોભે મહા-મા રત્નગર્ભા ભૂમિ સમ, જિન ઘારીને; પછ માસ નવમો પૂર્ણ થાતાં ચૈત્ર સુદ તેરસ દિને જન્મા મહાવર, અવધિ આદિ જ્ઞાન ગુણથી શોભતા, શું પૂર્વ-પુણ્ય-રવિ ઊગ્યો? ત્રિલોકમાં થઈ જ્ઞાતતા. ૨૩ અર્થ - હવે શ્રી જિનેશ્વર પ્રભુને ગર્ભમાં ઘારણ કરવાથી, રત્નગર્ભા ભૂમિ એટલે ગુણરૂપી
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy