SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ १६० मुक्तिवादः स्वनाशकत्वप्रसङ्गाद्, अपेक्षाबुद्धेरपि तृतीयक्षणे ध्वंसप्रसङ्गात्, अनन्तक्षणाप्रवेशलाघवात्, स्वप्रागभावाधिकरणक्षणवृत्तित्वरूपस्यैव स्वपूर्ववृत्तित्वस्य सम्बन्धमध्ये અધિકરણ ક્ષણમાં વૃત્તિ નહીં બને, જેના ફલરૂપે સામાનાધિકરણ્યવિશિષ્ટ સ્વપૂર્વવૃત્તિતા સંબંધથી કોઈ વિશેષગુણ સુષુપ્તિની પૂર્વેક્ષણે ઉત્પન્ન થયેલ જ્ઞાનમાં નહીં રહે. પરંતુ સુષુપ્તિમાં પૂર્વોત્પન્ન જ્ઞાનાદિનો નાશ થાય છે એ તો નિશ્ચિત છે. આથી વિના કારણે કાર્ય ઉત્પન્ન થવાથી વ્યતિરેક વ્યભિચાર આવશે. આના નિવારણ માટે સ્વપૂર્વવૃત્તિતા = સ્વાધિકરણક્ષણપ્રાગભાવાધિકરણક્ષણવૃત્તિતા એમ માનવું પડશે. અર્થાત્ પોતાના પ્રાગભાવની નહીં પણ પોતાની અધિકરણીભૂત એવી કોઈ પણ ક્ષણના પ્રાગભાવની અધિકરણીભૂત એવી ક્ષણમાં રહેવું તે જ સ્વપૂર્વવૃત્તિતાસ્વરૂપ છે. આવું માનવામાં આવે તો ઉપરોક્ત વ્યભિચાર દોષનું નિરાકરણ થઈ જશે. આનું કારણ એ છે કે સુષુપ્તિપૂર્વકાલોત્પન્ન જ્ઞાન બે ક્ષણ સ્થાયી હોવાથી સુષુપ્તિની પ્રથમ ક્ષણ પણ તેનું અધિકરણ બનશે. તેથી સ્વાધિકરણક્ષણ =સુષુપ્તિપ્રથમક્ષણ પણ થશે. સુષુપ્તિના પ્રથમ ક્ષણનો પ્રાગભાવ સુષુપ્તિ પૂર્વસમયે હાજર હોય છે. તેથી સ્વાધિકરણક્ષણપ્રાગભાવાધિકરણીભૂત ક્ષણ = સુષુપ્તિની પૂર્વની ક્ષણ બની શકશે. તે ક્ષણે તો સુષુપ્તિપૂર્વક્ષણોત્પન્ન જ્ઞાન હાજર છે જ. તેથી પોતાની ઉત્પત્તિની દ્વિતીય ક્ષણથી વિશિષ્ટ એવું નિદ્રાપ્રાક્ષણોત્પન્ન જ્ઞાન સ્વાધિકરણક્ષણપ્રાગભાવાધિકરણક્ષણવૃત્તિતાસંબંધથી સુષુપ્તિપૂર્વક્ષણોત્પન્ન જ્ઞાનમાં રહેવાથી તેનું નાશક બની શકશે. આ રીતે માનવાનું આવશ્યક હોવાથી મુક્તિપૂર્વક્ષણોત્પન્ન સુખ, જ્ઞાન વગેરેનો નાશ પણ શક્ય બનશે. કારણ કે મુક્તિપૂર્વક્ષણોત્પન્ન જ્ઞાન સુખાદિ પણ દ્વિતીયક્ષણ-વિશિષ્ટ બને છતે પોતાના જ નાશક બની શકશે. તે આ રીતે સ્વ =મુક્તિપૂર્વકાલીન જ્ઞાન-સુખાદિ, તેની અધિકરણીભૂત ક્ષણ = મુક્તિપ્રથમક્ષણ, તેના પ્રાગભાવની અધિકરણીભૂત ક્ષણ = મુક્તિપૂર્વવર્તી ક્ષણ. તે ક્ષણમાં મુક્તિપૂર્વકાલીન જ્ઞાન-સુખાદિ વૃત્તિ હોવાથી દ્વિતીયક્ષણવિશિષ્ટ મુક્તિપૂર્વકાલીન જ્ઞાન-સુખાદિ સ્વાધિકરણક્ષણપ્રાગભાવાધિકરણક્ષણવૃત્તિતાસંબંધથી મુક્તિ-પૂર્વકાલીન જ્ઞાન-સુખાદિમાં રહી જશે કે જે પોતાના સમાનાધિકરણ પણ છે જ. આમ વિવક્ષિત કારણતાઅવચ્છેદકસંબંધથી ચરમ જ્ઞાન સુખાદિમાં = મુક્તિપૂર્વકાલોત્પન્ન જ્ઞાન-સુખ આદિમાં કારણ રહેવાથી સ્વપ્રતિયોગિતાસંબંધથી ત્યાં અંતિમજ્ઞાન-સુખાદિધ્વસ પણ રહેશે. અર્થાત્ મુક્તિપૂર્વક્ષણોત્પન્ન જ્ઞાન, સુખ વગેરેનો પણ મુક્તિમાં નાશ થઈ શકશે. આથી યોગ્ય વિભુવિશેષગુણને સ્વોત્તરવૃત્તિ વિશેષ ગુણથી નાશ્ય માનવામાં કોઈ બાધ નથી. સ્યાદ્વાદી :- પર્વ સ. | જો સુષુપ્તિપૂર્વક્ષણોત્પન્ન જ્ઞાનાદિને જ પોતાનો નાશક માનવામાં આવે તો અન્ય સ્થલે જાગ્રત અવસ્થામાં પણ ઉત્પન્ન થયેલ જ્ઞાનને ઉપરોક્ત રીતે પોતાના નાશક માનવાની આપત્તિ આવશે, કારણ કે ઉત્પત્તિની દ્વિતીય ક્ષણે તે જ્ઞાનાદિ ઉત્પત્તિકાલીન જ્ઞાનાદિમાં સ્વસામાનાધિકરણ્યવિશિષ્ટ સ્વાધિકરણક્ષણપ્રાગભાવાધિકરણક્ષણવૃત્તિતા સંબંધથી રહી શકે છે. સ્વ = સુષુપ્તિઉત્તરકાલીન જ્ઞાન, તેની અધિકરણ ક્ષણ =ઉત્પત્તિની પ્રથમક્ષણ અને દ્વિતીય ક્ષણ. તેમાંથી દ્વિતીય ક્ષણના પ્રાગભાવની અધિકરણીભૂતક્ષણ =ઉત્પત્તિની પ્રથમ ક્ષણ, તેમાં તે જ્ઞાન રહે છે જ. આ રીતે સર્વત્ર દ્વિતીયક્ષણવિશિષ્ટ જ્ઞાનાદિ પોતે જ પોતાના નાશક બનવાની આપત્તિ આવીને
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy