SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ १५६ मुक्तिवादः सुखाभावसिद्धिः । न च द्वन्द्वस्वरसात् मिलितसुख-दुःखोभयप्रतीतिः नोक्तार्थानुपातिनी एकैकनिषेधे च वाक्यभेदापत्तिरिति वाच्यम् । द्वित्वनैकरूपेणोपस्थितयोः प्रत्येकं निषेधान्वये वाक्यभेदाभावात् ‘दवखदिरौ छिन्धि' इत्यत्र प्रत्येकं च्छिदान्वय इवेति, तन्न, घटवति भूतले 'घटपटौ न स्तः' इति वाक्याद् घटपटोभयत्वावच्छिन्नाभावबोधवत तात्पर्यवशाद् उक्तश्रुतेरपि मुक्तौ प्रियाप्रियोभयत्वा જીવને પ્રિય અને અપ્રિય સુખ અને દુઃખ સ્પર્શ કરતા નથી આ શ્રુતિના બલથી મોક્ષકાલમાં સુખાભાવ સિદ્ધ થાય છે. અહીં એવી શંકા થાય કે ‘પ્રિયપ્રવેશબ્દ વંદસમાસથી ઘટિત હોવાથી દ્વન્દ સમાસના છેડે રહેલ દ્વિવચનાન્ત પ્રથમ વિભક્તિથી ઉપસ્થિત દ્વિત્વ સંખ્યાનો પ્રિય અને અપ્રિયમાં અન્વય થવાથી સુખ-દુઃખની ઉપસ્થિતિ ઉભયત્વ રૂપે જ થશે. જેથી મોક્ષમાં સુખ-દુ:ખ ઉભયાભાવનું ભાન થશે. એકના અભાવથી પણ ઉભયાભાવથી સુખ-દુઃખની ઉપસ્થિતિ ઉભયત્વ રૂપે જ થશે. જેથી મોક્ષમાં સુખ-દુ:ખ ઉભયાભાવનું ભાન થશે. એકના અભાવથી પણ ઉભયાભાવ સંભવિત હોવાથી દુઃખાભાવપ્રયુક્ત સુખ-દુઃખ ઉભયાભાવની પ્રતીતિ થશે. આ પ્રતીતિ “મોક્ષમાં સુખાભાવ અને દુઃખાભાવ છે” આવા અર્થનું અનુસરણ નથી કરતી. સુખ અને દુઃખ પ્રત્યેકનો અલગ અલગ નિષેધ કરવામાં તો વાકયભેદની =બે વાક્ય થઈ જવાની આપત્તિ આવશે–તો આનું સમાધાન એ છે કે જે રીતે ‘ધવ-હિરી છિબ્ધિ અહીં દ્વિત્વરૂપે ઉપસ્થિત થયેલ ધવ અને ખદિર પ્રત્યેકનો છેદન ક્રિયામાં અન્વય થાય છે તેમ અહીં પણ દ્વિત્વરૂપ એક ધર્મથી ઉપસ્થિત થયેલ સુખ અને દુઃખ પ્રત્યેકમાં નિષેધનો અન્વય કરવામાં આવે તો વાક્યભેદ થવાની આપત્તિને અવકાશ નહીં રહે. જો સુખત્વરૂપે ઉપસ્થિત થયેલ સુખનો અને દુ:ખત્વરૂપે ઉપસ્થિત થયેલ દુ:ખનો પ્રતિયોગિતા સંબંધથી અભાવમાં અન્વય કરવામાં આવે તો સુખત્નાવચ્છિન્ન પ્રકારતા અને દુ:ખાભાવાવચ્છિન્ન પ્રકારના સ્વરૂપ બે મુખ્ય પ્રકારતાથી નિરૂપિત બે મુખ્ય વિશેષ્યતાનું ભાન થવાથી વાક્યભેદ થવાની આપત્તિ આવે, કારણ કે મુખ્યપ્રકારતાયનિરૂપિત મુખ્ય વિશેષ્યતાદ્વયવત્ત્વ એ વાકયભેદનું લક્ષણ છે. પરંતુ ઉભયત્વરૂપે સુખ અને દુઃખનો પ્રતિયોગિતા સંબંધની અભાવમાં અન્વય કરવામાં ઉપરોક્ત વાક્યભેદની આપત્તિને અવકાશ નથી રહેતો, કારણ કે આવું માનવામાં ઉભયત્નાવચ્છિન્ન એક જ પ્રકારતાનું અવગાહન થાય છે. આવું તત્ત્વચિંતામણિકારને અભિમત છે. મુક્તિમાં એક સુખ-દુઃખોભયાભાવની સિદ્ધિ સ્યાદ્વાદી :- તન્ન | પરંતુ ચિંતામણિકારની આ વાત બરાબર નથી, કારણ કે જેમ ભૂતલમાં ઘડો હોવા છતાં ભૂતલમાં ઘટપટ નથી આવો જ શબ્દપ્રયોગ થાય છે તેનાથી ત્યાં ઘટાભાવ અને પટાભાવ એમ બે અભાવનો બોધ નથી થતો, પરંતુ ઘટપટોભયત્વચ્છિન્નપ્રતિયોગિતાક એક અભાવનું જ ભાન થાય છે, કારણ કે બે અભાવનું ભાન ત્યાં ઘટ હાજર હોવાથી બાધિત થાય છે. તે જ રીતે ‘શરીર વીવસન્ત પ્રિયપ્રિયે કૃશતઃ' એ શ્રુતિથી પણ તાત્પર્યના બલથી મોક્ષમાં પ્રિયાપ્રિયોભયત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક એક અભાવનું ભાન થાય છે, નહીં કે સુખાભાવ અને
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy