SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૩૫ www. ખેડૂતોની પડતર જમીન તેમને જરૂરની હોય તે વાજબી કિંમતે અપાવવી. જમીન ખરીદ થયા પછી સંવત ૧૯૯૭ના આસો સુદ દસમ (વિજયાદસમી)ના દિવસે વકીલ શ્રી રામજીભાઈ માણેકચંદ દોશીના શુભ હસ્તે શિલારોપણવિધિ કરાવવામાં આવ્યો. અમદીવાદથી મુમુક્ષુ ભાઈ ઓ ભોગીલાલ પોપટલાલ શાહ, મોરબીના શેઠશ્રી નરભેરામભાઈ વનેચંદ, મનસુખલાલ જીવરાજભાઈ વગેરે ઘણા ભાઈ એ પધાર્યા હતા. તે શુભ કાર્ય યાચિત જમણ વગેરેના પ્રબંધ સાથે અતિ ઉત્સાહથી કરવામાં આવ્યું હતું. ત્યાર પછી તરત જ ઈમારતનું બાંધકામ શરૂ થયું. તે કામ લગભગ બે વર્ષ ચાલ્યું. ગુરુમદિર, જિનાલય, સ્વાધ્યાય ખડ અને નીચેના ભાગમાં રાઈધર તથા ભેંયરાનો ભાગ : આ પ્રમાણે બાંધકામ થયું. તેમાં ખરું તો પરમકૃપાળુ દેવના ગમળે જ કામ કર્યું છે. પૂ. શ્રી. ભગવાનલાલભાઈ એ ખુલ્લા દિલથી, પૂર્ણ ભક્તિથી રૂપિયા લાખ ઉપરાંતનો ખર્ચ કર્યો. ઘણો ખર્ચ થયો એમ કયારેય કહ્યું નથી. હું કોઈક દિવસ કહું કે “ ધાર્યા કરતાં ઘણો જ ખર્ચ આવે છે” તો તેઓ કહેતા કે, “પ્રભુના કામમાં કેમ સંકોચ રાખે છે ? આપણે શું કરી શકીએ છીએ? જેનું છે તે બધું સંભાળી લે છે; માટે એવા વિચાર ન કરે.” મારાપણાની ભાવના તેમને કદી થતી નહીં. એવી નિરભિમાનતા તેમનામાં અનેક પ્રસંગે વ્યક્ત થતી. બાના (જી મલાd C[, આ મંદિરના બાંધકામના કાર્ય માં તેમને તેમનાં ફઈબાના * ભાઈ ?' દીકરાએ પૂ. નાનાલાલભાઈ કાળિદાસ જસાણી અને શ્રી બેચરદાસભાઈ કાળિદાસ જસાણી અને શ્રી મેહનલાલ કાળિદાસ જસાણી તથા પૂ. શ્રી ભગવાનલાલભાઈનાં માસીના દીકરા શ્રી અમૃતલાલ વીરચંદ જસાણી તથા ભાગીદારો શ્રી ગોપાળજીભાઈ માનસંગ શાહ, શ્રી વેલજીભાઈ, શ્રી પટલાલભાઈ, શ્રી શંભુલાલભાઈ, શ્રી રવજી ઝવેરચંદના ભત્રીજા શ્રી મોહનલાલભાઈ, પંજાબી લાલા, ભગવાનદાસ કપૂર વગેરે તરફથી ઘણો સહકાર મળ્યો હતો.
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy