SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮ પ્રિતમનો સંદેશો લાવજે. હું દ્વાર પર ઉભી સદા વાટ જોતી રહીશ. તેઓ કુશળતાથી જલ્દી પાછા ફરે. હું સતી શિરોમણિ સીતા જેવી નિર્મળ છું.’’ (ઢા.૮, ક.૧૪૪-૧૫૮, ૧૦૦-૧૭૨) આ વર્ણન પાઠકોની આંખો ભીની કરાવ છે. આ પ્રમાણે કહી રહી ત્યાં નાયિકાનું ડાબુ અંગ ફરક્યું. તેણે વિચાર્યું, ‘આજે મને મારા પિયુનો ભેટો થશે.’ તે કાંતવા બેઠી ત્યાં કોઈ પુરુષને દ્વારા પર જોયો. ' પરપુરુષને ખડકી પર જોઈ નાયિકાએ સતી સ્ત્રીની જેમ પડકાર કરતાં કહ્યું, ‘‘આ સતી સ્ત્રીનું ઘર છે. અહીં પરપુરુષનું કામ નથી. હાથીનાં દાંત, કેશરી સિંહની કેશરા, સર્પનો મણિ, સ્ત્રીના સ્તન અને કૃપણનું ધન મેળવવું અશક્ય છે. (કેશરા, મણિ વગેરેની જેમ સતી શિયળ સાચવે છે.) મારા માટે મારા પતિ સિવાય અન્ય સર્વ પુરુષ વર્ગ ‘ભાઈ’ સમાન છે. હું પરપુરુષ સાથે વાર્તાલાપ કરતી નથી. મારા સગી નણદીનો વીરો એ જ મારો ભરતાર છે. મારે અસત્ય બોલવાની આખડી છે.’’ પ્રભાવિત થયેલા નાયકે નાયિકાની શુદ્ધ ભાવના જોઈ તારીફ કરતાં કહ્યું, ‘‘ધન્ય છે સતી તને! તે શીલનું જતન કર્યું છે. તેથી તારું નામ ચંદ્રની જેમ ગગનમાં ઊંચું ચડયું છે.’’ જેમ મેઘ વરસતાં ધરતી નવપલ્લવિત થાય છે, તેમ પતિને જોઈ નાયિકાનું તન અને મન આનંદથી ખીલી ઉઠયું. (ક.૧૫-૧૮૩) ઢા.૧૦માં નાયિકાના હૈયામાં હર્ષની હેલીઓ ચડી. પોતાની સખીઓ સમક્ષ વિસ્તારથી ખુશીની અભિવ્યક્તિ કરે છે. પતિના આગમનની ખુશાલીમાં થયેલી ઘરની સજાવટ તળપદી રીતે આલેખાયેલી છે. નાયિકા પાસે માખણ જેવું મુલાયમ હ્રદય હતું. સૌને પ્રેમના તાંતણે જોડી રાખવાની ગજબનાક સંવેદનશીલતા હતી. એનું રદિયું પણ ચોખ્ખું ચણાક હતું. ભૂલ કરનાર પ્રત્યે પણ કેવો સદ્ભાવ! મહાનાયિકા ધન્યાના જીવનની અનોખી ઊંચાઈ ધરાવતી આ ક્ષણ હતી. પતિની બધી દુષ્ટતા અને કર્તવ્ય વિરોધી હરકતોને વિશાળ હૃદયે માફ કરી દીધાં. તે લાગણીશીલ બની સંબંધોનું આયખું ટકાવી રાખનારી ભારતીય નારી હતી. કવિશ્રી પદ્મસાગરજી, કવિશ્રી રતનસૂરિજી, કવિશ્રી લાલવિજયજી, કવિશ્રી ઋષભદાસજી, કવિશ્રી મલયચંદ્રજી, કવિશ્રી ફતેહચંદજી અને અજ્ઞાત લેખકો આ પ્રસંગને સંક્ષેપમાં આલેખે છે. કવિશ્રી જયરંગમુનિજીએ ચરિત્રનાયિકાનું પ્રભાવશાળી સત્ત્વ, પતિને જોઈને નાયિકાની બેવડાયેલી ખુશી ઈત્યાદિ પ્રસંગોને ખૂબ વિસ્તારથી વર્ણવ્યા છે. તેમાં શીલ પાલનનો કથાંશ પ્રગટ થયો છે. આ આલેખનમાં કવિએ રસવત્તાને ઓસરવા દીધી નથી. પુરુષ જાતિ તરફથી નાયિકાને થયેલો અન્યાય પુરુષ પ્રધાન સમાજની દુર્ગંધ કહેવાય. ચરિત્રનાયકનું વ્યાપારાર્થે પરદેશગમન : • કવિશ્રી પદ્મસાગરજી : નાયિકાએ નાયકને સાંત્વના આપતાં મીઠાશભરી વાણીમાં કહ્યું, ‘“કંત! ધનની ચિંતા ન કરશો. થોડુંહશે તો પણ આપણે બન્ને વહેંચી ખાશું. સુખ-દુઃખ પરભવનાં લખેલાં કર્મ છે. (૧૨૦-૧૨૧) . કવિશ્રી રતનસૂરિ : બે જીવી નાયિકાએ કંતને પૂછયું, ‘“ધન કેમ કરી મેળવશું?’’ સાર્થપતિ ધનાવાહ શેઠના મિત્ર હતાં. તેમણે નાયકને કહ્યું, ‘“તું મારી સાથે આવશે તો બે, ત્રણ, ચાર એમ બારે વર્ષે બાર ગણાં ધન કમાશે!'' નાયિકાએ પ્રવાસમાં જતા નાયકને કોથડો ભરી ચોખા, વીસ-ત્રીસ લાડુ આપ્યા. નાયકે પાડોશણોને
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy