SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯-તેટલીપુત્ર તેટલીપુત્રના જીવન-કથનને વિચારતા બે વાત કંઈક વિચારણીય લાગી. એક તો વિષયલોલુપ એવો તે જીવ સાધુ કે શ્રાવક બેમાંથી એક પણ ધર્મને ઈચ્છતો ન હતો તો પણ તે જ ભવે મોક્ષે કેમ ગયો? અને બીજું, જેના ઉપર અપ્રીતિ ઉત્પન્ન થયેલી છે તેવી પોતાની પોટીલા નામની સ્ત્રી જ્યારે દીક્ષા લેવા તૈયાર થઇ ત્યારે તેતલીપુત્રે શરત કરી કે જો તું દીક્ષા અંગીકાર કરી તેના પ્રભાવે સ્વર્ગમાં જાય તો તારે મને પ્રતિબોધ કરવા આવવું. આ બંને ઘટના કંઈક ન સમજાય તેવા ભાવો જન્માવે છે. જે માનવીને સાધુધર્મ કે શ્રાવકધર્મ ગમતો નથી તે અણગમતી પત્નીની પાસે પ્રતિબોધ કરવા આવવાની શરત મૂકે જ કેમ? બીજું, એક પણ વ્રતને ન ઈચ્છતો જીવ તે જ ભવે સર્વવ્રતગ્રાહી બની મોક્ષે જાય કઈરીતે? એક જ ઉત્તર છે - કારણ કે તે સાધુ હતા.” ત્રિવલ્લી નગરે કનકરથ રાજા રાજ્ય કરે. તેટલીપુત્ર તેમના મંત્રી છે. નગરશેઠની પુત્રી પોટીલા ઉપર મોહ થતાં તેટલીપુત્ર મંત્રીએ પોટીલા સાથે લગ્ન કર્યા. મંત્રી દ્વારા જ “કારણ કે તે સાધુ હતા” [59] મુનિશ્રી દીપરત્નસાગરજી
SR No.009207
Book TitleLaghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2015
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy