SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ આ બધું જ જ્ઞાત છે, પણ અજ્ઞાત વિષયવસ્તુ શું છે ? સામાયિક કણબીએ દીર્ઘકાળ વ્રતપાલના કરી છે, સ્વાધ્યાય પણ સુચારુ કર્યો છે અને મૃત્યુ પણ અનશનવ્રત ગ્રહણ કરીને પામ્યો છે. આ જ સામાયિક કણબી પૂર્વભવના વ્રત અને વૈરાગ્યથી વાસિત થઇ, દેવલોકની સફર કરીને આર્દ્રકુમાર બન્યા છે. તેની વ્રતવિરાધાનાએ તેને અનાર્યભૂમિ ભલે અર્પી, પણ તે વિરાધના તો પ્રમાદથી થઇ છે. મૂળભૂત તો આ આત્મા વ્રતનો સ્પર્શ પામીને શુદ્ધ બનેલા સુવર્ણ સમાન છે. માટે જ તેનો પૂર્વભવ આ ભવમાં ચારિત્ર અંગીકાર કરવામાં સીડીરૂપ બની ગયો. દેવતાએ અટકાવ્યો કે, હે આર્દ્રકુમાર ! તમે આ ભવે જ મુક્તિ પામનાર છો. પરંતુ તમારું ભોગકર્મ બાકી છે, હાલ ચારિત્ર ગ્રહણ કરશો નહીં. પણ આ તો વ્રતી-જીવ ! તેનાથી ચારિત્રને વેગળું રાખવાનું બને જ કઈ રીતે ? અરે ! જ્યારે સામાયિક કણબીના ભવની પત્ની બંધુમતિનો જીવ આ ભવમાં શ્રીમતી રૂપે આવ્યો અને થાંભલાને બદલે આર્દ્રકુમાર યતિને કાયોત્સર્ગમાં ઊભેલા “કારણ કે તે સાધુ હતા” મુનિશ્રી દીપરત્નસાગરજી [38]
SR No.009207
Book TitleLaghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2015
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy