SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક ભાવ ૩૧ ઢાંકણા વગર, આખી કોઠી નમાવીને ઊંધી પાડી દો તો તે તરત ખાલી થઈ જાય. આત્મલક્ષી ધ્યાન, આત્મા તરફનો ઉપયોગ અને આત્માની જાગૃતિ – આ ટૂંકામાં ટૂંકો માર્ગ છે. શાસ્ત્રમાં આને પણ ‘સકામ નિર્જરા’ કહી છે પણ આને ‘વિહંગમ માર્ગ' કહ્યો છે. પક્ષીની જેમ ઉડીને તરત જ મુક્તિના ફળ સુધી પહોંચી જવાય. આમાં બહુ ઓછો સમય લાગે. આ માર્ગે સંસારનો, ભવોનો અંત બહુ જલદી આવે. કર્મોથી મુક્તિ એટલે કે મોક્ષ થતાં વાર લાગતી નથી પણ તમે આ ત્રણમાંથી કયો રસ્તો પકડો છો તેના પર આધાર રાખે છે. ૩. ૧. ૨. છતાં પણ આપણા જેવા ગૃહસ્થોએ રોજ સામાયિક કરવું જોઈએ. એના થોડા લાભો હવે ટૂંકમાં કહી દઉં. ૪. એમાં સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ ત્રણ રત્નોની આરાધના થાય છે. એમાં ત્રણ ગુપ્તિ – મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ – નું પાલન થઈ જાય છે. ૩. સાધુજીવનનાં પાંચ મહાવ્રત એમાં પળાઈ જાય છે કારણ કે તમે સામાયિક કરો છો ત્યારે અહિંસા પાળો છો, જૂઠું બોલતા નથી, ચોરી કરતા નથી, મૈથુન નથી અને પરિગ્રહ પણ નથી. એ પાંચ મહાવ્રત પાળીને તમે બે ઘડી માટે સાધુ સમાન થાઓ છો (સમળો इव सावओ हवइ जम्हा). બારેય પ્રકારનાં તપ – છ બાહ્ય અને છ અત્યંતર – થઈ જાય છે. તપથી કર્મોની નિર્જરા થાય છે (મવોડીસનિય જન્મ તવસા
SR No.009197
Book TitleSamayik Bhav
Original Sutra AuthorN/A
AuthorRashmikant Shah
PublisherRashmikant Shah
Publication Year
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy