SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક ભાવ ૬ ૨૩ અલગ સંપ્રદાયો, ફિરકાઓ અને ગચ્છો ચલાવવા માટે લિંગમાં, વેશમાં અને ક્રિયાઓમાં ફરક રાખવો પડે. “અમારું જુદું છે' એમ બીજાને બતાવવું પડે. ઉપાધ્યાય યશોવિજયજીએ કહ્યું છે : લિંગ વેશ કિરિયા કું સબ હિ, દેખે લોક તમાસી હો, ચિન્રતિ ચેતનગુન ચિન્હ, સાચો સોઉ સંન્યાસી હો. - ગુર્જર સાહિત્ય સંગ્રહ, ભાગ ૧, પદ ૩૯. જે સાચો આત્માર્થી છે, મુમુક્ષુ છે તે તો આ બધા અલગ અલગ લિંગ, વેશ કે ક્રિયાઓ જોતો નથી. તે માત્ર ચૈતન્ય, ચેતના તરફ દૃષ્ટિ રાખે છે. ઉપાધ્યાયજીએ આવી દષ્ટિવાળાને જ સાચો સંન્યાસી કહ્યો છે. આપણે જ્યાં જુદું પડતું હોય, જ્યાં ભેદ પાડવામાં આવતા હોય એ બધામાં નહીં જવાનું. આપણે જ્યાં એકતા હોય, સમાનતા હોય, એક જ ચૈતન્યની દૃષ્ટિ હોય તે તરફ જવાનું. ને કયા /' – એમ ભગવાને કહ્યું એનો અર્થ એ કે આત્મા એક છે. આપણે તો ‘નોને ગાય ”એટલે કે આત્મા અનેક છે એવો અર્થ કર્યો – આ ભાઈ જુદા, અમે જુદા. અમે સ્થાનકવાસી, તમે દેરાવાસી, અમે દિગંબર, તમે શ્વેતાંબર. આટલી છીછરી સાંપ્રદાયિક માન્યતાઓ હોય ત્યાં ભાવસામાયિક ક્યાંથી થાય કે સામાયિકભાવ ક્યાંથી આવે? અને એ ન આવે તો સાચા અર્થમાં સામાયિક થયું એમ કેવી રીતે કહી શકાય? અને પછી આ બધી ક્રિયાનું ફળ ક્યાંથી મળે? કેવી રીતે મળે? હું ઠેઠ મલાડથી ઘાટકોપર આવ્યો છું એટલે મારે તમારી સાથે આજે એક સોદો કરવો છે.
SR No.009197
Book TitleSamayik Bhav
Original Sutra AuthorN/A
AuthorRashmikant Shah
PublisherRashmikant Shah
Publication Year
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy