SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ન થાય. પરિણામની એવી સ્થિરતા કેળવવી જોઇએ. પોતાની જેમ જ જગતના જીવોને માટ સમાનતાનો ભાવ આવે ત્યારે જ આ બાંધી શકાય છે. મારે સુખ જોઇએ છે તેમ જગતના સઘળા જીવોને પણ સુખ જોઇએ છે. મારે જેમ દુઃખ નથી જોઇતું તેમ જગતના સઘળા જીવોને પણ દુઃખ પસંદ નથી માટે મારે જીવન એવી રીતે જીવવાનું કે મારા જીવનથી બીજા જીવોને કિલામણા એટલે દુ:ખ ન થાય. તની સતત કાળજી રાખવાની આવો વિચાર ચાલુજ હોય છે. બીજા જીવોનું મારે શું ? આવો વિચાર કદી કરવો નહિ. બીજા જીવોને દુઃખ કેમ ઓછું થાય. બીજા જીવોની હિંસા કેમ ઓછી થાય અને હિંસા વગરનું જીવન હું ક્યારે જીવી શકું આવી વિચારણા અંતરમાં સતત રહ્યા જ કરવી જોઇએ. આવી વિચારણાઓથી તીર્થંકર નામકર્મ, ગણધર નામકર્મ, યુગપ્રધાનપણું, સંઘપતિપણું બંધાતું જાય છે કારણ કે તીર્થંકર નામકર્મના પ્રદેશોદયથી જીવો ગણધર નામકર્મ આદિ પ્રાપ્ત કરી શકે છે. તીર્થંકર નામકર્મનો બંધ બધા જીવો કરી શકે છે પણ નિકાચીત તો તીર્થંકરના આત્માઓજ કરી શકે છે. એ બાંધવામાં પણ શાસ્ત્ર કહે છે કે કોઇ જીવ આપણને દુઃખ આપે તો પણ સારી રીતે સમતાથી વેઠી લેવાની ભાવના રાખીને વેઠવાનું કહેલ છે. મારા કર્મના ઉદયથી દુઃખ આવ્યું છે. તેમાં એનો શું દોષ એ તો નિમિત્ત માત્ર છે. આવા વિચારની સ્થિરતા વધારે આપણા આત્મામાં છે કે ખરાબ વિચારની સ્થિરતા વધારે છે ? હોવે, એવી રીતે કાંઇ દુઃખ વેઠાતા હશે ? લોક કેવા કહે ? તાકાત હોય અને તેને વારણ ન કરીએ તો વારંવાર વધારે દુઃખ આપે. આપણે વેઠી લેવાનું હોય ? આવા વિચારોની સ્થિરતા વધારે થાયને ? તીર્થંકર નામકર્મના પ્રદેશોદયથી રાજાપણું, મંત્રીપણું વગેરે પ્રાપ્ત થાય. આદેય નામકર્મ એનું એવું જોરદાર થાય કે એ જે કહે તે લોકો માન્ય કરે. સ્વાર્થ વગર બધાયનું ભલું કરવાની વૃત્તિથી પણ જીવો તીર્થંકર નામકર્મ બાંધી શકે છે. તીર્થંકર નામકર્મનો રસોદય એટલે ઉદયતો જીવને કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી જ થાય છે એ ઉદયકાળમાં આઠ પ્રાતિહાર્ય (બે બાજુ ચામર, સિંહાસન, માથે છત્ર, ભામંડળ, દુંદુભિ, ધર્મધ્વજ, અશોક વૃક્ષ, દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે તે) જ્યારે તીર્થંકરો વિહાર કરે ત્યારે જમીન ઉપર ચાલે નહિ દવતા સુવર્ણ કમળની રચના કરતા જાય અને એના ઉપર પગ મુકીને તીર્થંકરો ચાલતા જાય. આ ૠધ્ધિ, સિધ્ધિ સામાન્ય કેવલી ભગવંતોને હોતી નથી. માત્ર તીર્થંકરોને જ હોય છે. આ દશા વીતરાગ થયા પછીજ પ્રાપ્ત થઇ શકે છે. રાગાદિનો ઉદય ચાલતો હોય ત્યારે એનો ઉદય થતો નથી. જો એનો ઉદય થાય તો તે કર્મબંધનું વિશેષ કારણ બની જાય. માટે આવી ૠધ્ધિ પચે તો તીર્થંકરોને જ પચે પગે ચાલનારા ગાડી લાવે તોય તે પુણ્ય પચતું નથી તો પછી સુવર્ણ કમળનું પુણ્ય પચે ? આપણને નથી મળતું એજ સારૂં છે. આ કર્મ બાંધવા જેવું તો જરૂર પણ આવી સામગ્રી મલશે. ભોગવવા મલશે એવા વિચારો કરીને બાંધ્યું તો ગયું સમજો. સમકીતીને જ બંધાય છે. ત્રીજા ભવે નિકાચીત થાય. એ નિકાચીત કરવા માટે પહેલું સંઘયણ અવશ્ય જોઇએ. કેવળીનો કાળ જોઇએ. મનુષ્યપણું જોઇએ એ વગર નિકાચીત થઇ શકે નહિ. અત્યારે વર્તમાનમાં જે સંઘયણ બળ મળેલું છે તેમાં નિકાચીત ન કરી શકીએ પણ તીર્થંકર નામકર્મ બાંધી તો જરૂર શકીએ. જો પ્રયત્ન કરવા માંડીએ તો એ બાંધ્યા પછી એનો પ્રદેશોદય એક અંતમહૂર્તમાં ચાલુ થઇ જાય છે. નિર્માણ નામડમ શરીર બનાવ્યા પછી એની સાથે જે અંગોપાંગ બનાવવામાં આવે છે તે અંગોપાંગને ક્યાં ગોઠવવા-કયા કયા સ્થાને મૂકવા અને વ્યવસ્થિત રીતે ગોઠવવા એનું કામ જે કરે તે નિર્માણ નામકર્મ કહેવાય છે. આ પ્રકૃતિ ધ્રુવબંધિની હોવાથી દરેક જીવો પહેલાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધી સતત બાંધ્યા જ Page 51 of 64
SR No.009187
Book TitlePunya Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy