SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ નામકર્મ કહેવાય. જીવનો અનાદેય નામકર્મનો ઉદય ચાલતો હોય તો સાચું વચન પણ ખોટું લાગે તેમાં રાગાદિ કરવાના નહિ. નહિતર અનાદેય નામકર્મ જોરદાર રસે બંધાતુ જાય. ગૃહસ્થોના ઘરોમાં પહેલા ત્રણ પ્રકારની સામાચારી ચાલતી હતી.(૧) ઇચ્છાકાર, (૨) મિથ્યાકાર, (૩) તથાકાર. (૧) ઇચ્છાકાર એટલે પોતાનાથી કોઇપણ નાના જીવની પાસે કામ કરાવવાનો વખત આવે તો કહેતા તને અનુકૂળતા છે આટલું કરી શકશો ? કરવાનું છે ? અને મોટાની પાસે કામ કરાવવાનો વખત આવે ત્યારે વિનયપૂર્વક પૂછતાં તેમાં જો અનુકૂળતા નથી એમ કહે એટલે (૨) મિચ્છાકાર - મિચ્છામિ દુક્કડં મારા કહેવાથી તમોને જો કાંઇ દુઃખ લાગ્યું હોય તો હું મિચ્છામિ દુક્કડં આપું છું એમ જે કહેવું તે. (૩) તથાકાર - કામ કરવાનું કહે તો તહત્તિ કરે તે પ્રકારે હું કરીશ એ રીતનો જે સ્વીકાર કરવો તે તથાકાર આ પ્રમાણે જીવન વર્તમાનમાં શરૂ થઇ જાય તો બધા ઝઘડા બંધ થઇ જાય અને કોઇને જરાય મનદુ:ખ ન થાય. અત્યારે દરેકને આજ્ઞા કરી કરીને જીવતા થયા માટે બધો વ્યવહાર બગડ્યો છે. માટે આ બધી નામકર્મની પ્રકૃતિઓ જીવોને જીવન જીવતા શીખવાડે છે. અપયશ નામકર્મ :- સારું કાર્ય કરેલું હોવા છતાં મધ્યસ્થીને પણ અપ્રશંસનીય બને તે અપયશ નામકર્મ. ગમે તેટલી સારી મહેનતથી સારૂં કામ કરતો હોય છતાંય કોઇ એને સારૂં કહે નહિ. યશ મળવાને બદલે તેની ભૂલો જ બતાવતા હોય તેને અપયશ નામકર્મ કહે છે. કોઇએ સારૂં કામ મન, વચન, કાયાથી કરેલ હોય છતાંવખાણવાને બદલે વખોડવાનું મન થાય એ પણ અપયશ. બીજા પાસેથી કામ કઢાવવા પ્રોત્સાહન આપીને કામ કરાવનારને પણ અપયશ નામકર્મ બંધાય. પોતાનું સારૂં લાગે એવી વિચારણાથી કામ કરે તો પણ અપયશ બંધાય. વાત્સલ્ય ભાવથી કામ કરાવો તો આ અપયશ બંધાય નહિ. સામા માણસનું કામ કરવામાં આપણા રાગાદિ પોષાવા જોઇએ નહિ. પોતાનું કામ મારી ફરજ છે એમ માનીને કરવું. કોઇનું કામ કર્યા પછી જેટલા વખાણ સાંભળવા ગમે તેનાથી આપણા આત્માને ભયંકર નુક્શાન થાય છે. અનુમોદના કરવી હોય તો તે વ્યક્તિની હાજરીમાં કરવી નહિ. નિઃસ્વાર્થ બુધ્ધિ, હિતબુધ્ધિથી કોઇનું કામ કરીએ તેનાથી આ કર્મ બંધાતું નથી પણ તેમાં સ્વાર્થવૃત્તિ રાખીને પ્રવૃત્તિ કરો તેનાથી અપયશ નામકર્મ બંધાય છે. આનો બંધ ૧ થી ૬ ગુણઠાણા સુધી અને ઉદય ૧ થી ૪ ગુણઠાણા સુધી હોય છે. ૧. સ્થિર શુભ સુભગ સુસ્વર આદેય યશ ૨. સ્થિર ૪. ૫. ૬. અશુભ સુભગ સુસ્વર આદેય યશ ૩. અસ્થિર શુભ સુભગ સુસ્વર આદેય યશ અસ્થિર અશુભ સુભગ સુસ્વર અદેય યશ સ્થિર શુભદુર્ભગ સુસ્વર આદેય યશ સ્થિર અશુભ દુર્ભગ સુસ્વર આદેય યશ અસ્થિર શુભ દુર્ભગ સુસ્વર આદેય યશ અસ્થિર અશુભ દુર્ભગ સુસ્વર આદેય યશ સ્થિર શુભ સુભગ દુસ્તર આદેય અશુભ સુભગ દુસ્તર આદેય 9. યશ યશ Page 116 of 126 ૮. ; te ૧૦. સ્થિર
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy