SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ઉન્માર્ગથી ઉગારી સન્માર્ગે ચઢાવવાનો અનો પ્રયત્ન અખંડપણે ચાલુ હોય. દ્રવ્યથી ને ભાવથી એ પરોપકારી હોય. વ્યવહારશુદ્ધિ સાતમું લક્ષણ છે-વ્યવહારશુદ્ધિ. માર્ગાનુસારીનો સૌથી પહેલો ગુણ છે. જાયસંપન્ન વિમવ: 1 તમારી લક્ષ્મી ન્યાયોપાર્જિત છે? તમારો વ્યાપાર નીતિમય છે? તમારું જીવન અનુકમ્પાવાનું છે? આજે તો કેટલેક સ્થળે ઘોર પાપ અને આવક થોડી, એ દશા છે. એમાં કોણ રાચે ? પૈસાનો પૂજારી હોય તે. ઉત્તમાં આત્માનો દરેક વ્યવહાર ઉત્તમ હોવો જોઇએ જેનામાં આ સાત હોય જે આત્મામાં દાક્ષિણ્ય હોય, લજ્જા હોય, ગુરૂદેવપૂજા હોય, પિત્રાદિની ભકિત હોય, સુકૃતની અભિલાષા હોય, પરોપારિપણું હોય અને વ્યવહારશુદ્ધિ હોય, તે આત્મામાં મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યચ્ય ભાવના જરૂર હોય અગર આવે અને જેનામાં એ ભાવનાઓ હોય અને આવે તેનામાં સૌથી પહેલી કહી તે ભાવના પણ જરૂર હોય અને આવે. આ ન હોય અને એનું દુ:ખ પણ ન હોય, તો આસ્તિકતાની વાતો એ પોલી વાતો જ છે. પાંચ પ્રકારના સંયમ (ચારિત્ર) નું વર્ણન ચારિત્રમોહનીય કર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી પ્રકટ થયેલો આત્માનો શુદ્ધ સ્વભાવ તે ચારિત્ર કહેવાય છે. આ ચારિત્ર પાંચ પ્રકારનું છે: (૧) સામાયિક ચારિત્ર, (૨) છેદોપસ્થાપન કે છેદોપસ્થાપનીય ચારિત્ર, (૩) પરિહારવિશુધ્ધિ ચારિત્ર, (૪) સૂક્ષ્મસંપરાય ચારિત્ર અને (૫) યથાવાત ચારિત્ર. આ પાંચ ચારિત્રનું સ્વરૂપ અનુક્રમે આ પ્રમાણે જાણવું: (૧) સામાયિક ચારિત્ર આત્મા કર્મના સંયોગે અનાદિકાળથી વિષમ સ્થિતિમાં રહેલો છે. આ વિષમ સ્થિતિને દૂર કરીને સમસ્થિતિમાં-સમભાવમાં લાવવાનું મુખ્ય સાધન સામાયિક ચારિત્ર છે. તે હિસાદિ સાવદ્ય યોગનો ત્યાગ કરવાથી તથા સંવર નિર્જરાનું સેવન કરવાથી સિદ્ધ થાય છે. સમ એટલે સમસ્થિતિ કે સમભાવ, તેનો માય એટલે લાભ તે સમાય તેનાથી યુકત જે ક્રિયા તે સામાયિ. આ સામાયિક ચારિત્ર બે પ્રકારનું છે (૧) ઇત્વરકથિક અને (૨) વાવ કથિક. ભરતાદિ દશ ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં પ્રથમ લઘુ દીક્ષા અપાય છે, તે ઇતરકથિકસામાયિક ચારિત્ર કહેવાય છે, કારણ કે તે થોડા કાળ માટે જ હોય છે. શ્રાવકો શિક્ષાવતના અધિકારે સમાયામિ, પૌષધ, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ કરે છે, તેનો સમાવેશ પણ આ ઇત્વરકથિક સામાયિક ચારિત્રમાં જ થાય છે. મધ્યના બાવીશ તીર્થકરના શાસનમાં તેમજ મહાવિદેહમાં સર્વદા પ્રથમ લઇ, દીક્ષા અને પુન: વડી, દીક્ષા એવો વ્યવહાર નથી. ત્યાં પ્રથમથી જ વડી દીક્ષા હોય છે, માટે તેને યાવતુકથિક સામાયિક ચારિત્ર કહેવામાં આવે છે. આ બે ચારિત્રો પૈકી ઇત્વરકથિક સાતિચાર અને ઉત્કૃષ્ટ છ માસનું હોય છે, જ્યારે યાવત્ કથક નિરતિચાર (અલ્પ અતિચાર) અને જીવનભરનું હોય છે. (૨) છેuસ્થાપનીય ચારિત્ર પર્વના સામાયિક ચારિત્રના સદોષ કે નિર્દોષ પર્યાયનો છેદ કરીને ઉપસ્થાપન કરવું, એટલે કે પુન: Page 243 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy