SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પતિ- અપર્યાપ્ત જીવોનું વર્ણન (૧) લબ્ધિ અપર્યાપ્ત. (૨) લબ્ધિ પર્યાપ્ત. (૩) કરણ અપર્યાપ્ત. (૪) કરણ પર્યાપ્ત. એમ ચાર ભેદો હોય છે. તેમાં લબ્ધિ અપર્યાપ્તાનો નિયમા એકજ ભેદ હોય છે. જ્યારે લબ્ધિ પર્યાપ્તા જીવો બે અવસ્થામાં રહેલા હોય છે. (૧) અપર્યાપ્તાવસ્થામાં (૨) પર્યાપ્તાવસ્થામાં આથી અપયાતા જીવો લબ્ધિ અપર્યાપ્તામાં ભેગા ન થઇ જાય માટે તેને ઓળખવા માટે જ્ઞાની ભગવંતોએ તે જીવોને કરણ અપર્યાપ્તા કહ્યા છે. અને જે પર્યાપ્ત સંપૂર્ણ પર્યાપ્તિ પૂર્ણ કરી પર્યાપ્ત થયેલો હોય તે કરણ પર્યાપ્ત કહેવાય છે આથી એ ફલિત થાય છે કે લબ્ધિ અપર્યાપ્તજીવ અવશ્ય અપર્યાપ્તાવસ્થામાં મરણ પામે છે જે જીવોને શાસ્ત્રોમાં જેટલી પર્યાદ્ધિઓ કહેલી છે તેમાંની છેલ્લી પર્યાપ્તિ અધુરીએ મરણ પામે તે લબ્ધિ અપર્યાપ્તા કહેવાય છે. કેટલાક આચાર્યોના મતે દરેક લબ્ધિ અપર્યાપ્તા જીવો ચોથી પર્યાપ્તિ અધુરીએ અવશ્ય મરણ પામે એમ કહે છે. લબ્ધિ પર્યાપ્તાના બે ભેદ (૧) કરણ અપર્યાપ્તા (૨) કરણ પર્યાપ્ત. (૧) કરણ અપર્યાપ્ત જીવો જે જીવોને જેટલી પર્યાદ્ધિઓ કહેલી છે. તે હાલ પૂર્ણ કરી નથી. કરી રહેલા છે અને અવશ્ય પૂર્ણ કરવાના છે. તે કરણ અપર્યાપ્ત જીવો કહેવાય છે. (૨) કરણ પર્યાપ્તા- જે જીવોને જેટલી પર્યાદ્ધિઓ કહેલી છે તે પર્યાયિઓ જે જીવોએ પૂર્ણ કરેલી છે તે કરણ પર્યાપ્ત કહેવાય. (૩) લબ્ધિ પર્યાપ્ત- જે જીવોને જેટલી પર્યાદ્ધિઓ કહેલી છે તે સંપૂર્ણ પૂર્ણ કર્યા પછી મરણ પામે એટલે પોતાનું આયુષ્ય જેટલું હોય તે ભોગવીને મરણ પામે તે લબ્ધિ પર્યાપ્તા જીવો કહેવાય છે. પ્રાણો જીવે છે તે જીવ. જીવવું એટલે પ્રાણ હોવા ધારણ કરવા તે. પ્રાણ બે પ્રકારે છે. (૧) ભાવપ્રાણ. (૨) દ્રવ્ય પ્રાણ. ભાવ પ્રાણ ચાર છે. (૧) શુધ્ધ ચેતના. (૨) અનંત વીર્ય (૩) અક્ષય સ્થિતિ અને (૪) અનંત સુખ દ્રવ્ય પ્રાણ તેના મુખ્ય ચાર ભેદ છે. તેના પેટા ભેદ ૧૦ છે. (૧) ઇન્દ્રિય પ્રાણ તે અશુધ્ધ ચેતના મય છે તેના પાંચ ભેદ છે. (૨) અનંત વીર્ય રૂપથી વિપરીત બળ તે યોગ બળ પ્રાણ તેના ૩ ભેદ છે. મનોબળ, વચનબળ, કાયબળ. (૩) અનાદિ અનંત સત્તારૂપથી વિપરીત સાદિ સાન્ત રૂપ જે પ્રાણ તે આયુષ્ય નામનો પ્રાણ છે. (૪) અનંત સુખ રૂપ થી વિપરીત અલ્પ ખેદ નિવૃત્ત રૂપ જે પ્રાણ તે શ્વાસોચ્છવાસ પ્રાણ કહેવાય છે. આ ચારે મુખ્ય પ્રાણો સર્વ સંસારી જીવોને હોય છે. જેના યોગે આત્માનું મનુષ્ય ગત્યાદિને વિષે જીવન ટકી શકે છે અને જેના વિયોગે મરણ થાય છે તે દ્રવ્યપ્રાણ કહેવાય છે. Page 182 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy